Book Title: Sadhakno Antarnad Part 2
Author(s): Padmalatashree
Publisher: Pooja Rohit Doshi

View full book text
Previous | Next

Page 185
________________ ક્રિયા પણ છે. એકલા જ્ઞાન કે એકલી ક્રિયાથી મુક્તિ થતી નથી. આચાર એ જ્ઞાનનું ફળ છે. જ્ઞાનથી જાણ્યા પછી તેને આચારમાં ન મૂકાય ત્યાં સુધી મુક્તિએ જવાનો રસ્તો કપાતો નથી. માટે પ્રથમ જ્ઞાન, પછી ક્રિયા પણ બીજા નંબરે એટલી જ જરૂરી છે. જ્ઞાનનું ફળ વિરતિ એટલે પાપથી અટકવું. અર્થાતું, સારું આચરણ કરવું, પાપ એ અસદ્ આચરણ છે તેથી અટકવા માટે જ જ્ઞાન જરૂરી છે. જે સમજે તે પાપને અને પુણ્યને જાણી શકે અને જાણે તો પાપથી અટકવાનો પુરુષાર્થ કરી શકે અને પુણ્ય આદરી શકે અર્થાત્ સદ્ આચરણ કરી શકે. આ રીતે પંચાચારનું પાલન જે ત્રિકરણ યોગે આગમજ્ઞાતા બનીને કરે છે અને તેમના આશ્રયે આવેલાઓને ઉપદેશ આપી પંચાચારનું પાલન કરાવે છે અને પરમાત્માનું સ્થાપન કરેલું શાસનચતુર્વિધ સંઘને યથાયોગ્ય માર્ગદર્શન આપી સિદ્ધિના માર્ગને ચાલુ રાખે છે, એવા આચાર્ય ભગવંતને હું ક્રોડ ક્રોડ વાર વંદન કરું છું. ઉપાધ્યાય ભગવંત ચૈ.સુ. ૧૦ પરમાત્માએ (અરિહંત ભગવાન) શાસન સ્થાપ્યું તે શાસન એ જ તીર્થ છે. તીર્થ એટલે ચતુર્વિધ સંઘ. તેમાં એક સાધુનો સંઘ સ્થાપ્યો તેમાં ત્રણ પ્રકારના સાધુઓ તેઓના કાર્યભેદ પડે છે. કેમકે શાસન ચલાવવા માટે કાર્યકર્તા તરીકે આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંત, સાધુ ભગવંત છે. તેમાં આચાર્ય ભગવંતનું કાર્ય આચારનો ઉપદેશ આપી ક્રિયામાં સ્થિર કરવાનું છે. તેમ ઉપાધ્યાય ભગવંતનું કાર્ય પરમાત્માની પ્રરૂપેલી વાણી જેમાં ગૂંથેલી છે એવા આગમનું જ્ઞાન, સમજ આપવાનું છે જેથી માર્ગનું જ્ઞાન મળે. આચાર્ય ભગવંત માર્ગનું આચરણ કરાવે છે. ઉપાધ્યાય ભગવંત માર્ગનું જ્ઞાન આપે છે, અને સાધુ ભગવંત માર્ગે ચાલવામાં સહાય કરે છે. આચાર્ય ભગવંતનું તેવું પુણ્ય હોય છે જેથી તેના પ્રભાવે જીવોને તેમના તરફ આકર્ષણ, તેમના આચાર પ્રત્યે થવાથી આચારોનો ઉપદેશ ગ્રાહ્ય બને છે. ઉપાધ્યાય ભગવાનનું તેવું પુણ્ય અને ક્ષયોપશમ હોય છે કે તે જેને ભણાવે છે તેની જડતા દૂર થઈ જાય છે જીવ જ્ઞાની અને વિનયી બને છે, સંસારથી નિસ્તાર પામે છે. સાધુ ભગવંતા ચે.સુ. ૧૧ સાધનાનો માર્ગ પરમાત્માએ બતાવ્યો છે પણ સાધકદશા પ્રાપ્ત થાય તે પહેલાં સાધનાના માર્ગે ચાલવાની શક્તિ આવતી નથી, પરંતુ સંપૂર્ણ સાધકદશા સાધુ ને જ પ્રાપ્ત થાય છે કારણ કે, સાધક દશા પ્રગટાવવા માટે તેમના મન, વચન, કાયાની નિર્મળતા સાધુતાના લીધે પ્રાપ્ત થાય છે. સાધકનો અંતનાદ 165 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256