________________
૨૮૪].
શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા સદ્ધવિંશિકામાં આસ્તિક્યને જ પ્રધાનપણે અપેક્ષી આ પ્રમાણે પ્રતિપાદન કર્યું છે-માનનિયાનgSsfeતા लक्षणानां सम्यक्त्वगुणानां पश्चानुपूत्यैव लामक्रमः प्राधान्यसंचेत्थमुपन्यास इति ।'
સમ્યગદર્શનગુણ જે આત્મામાં પ્રગટ થયે હેય, તે આત્મામાં “આસ્તિક્ય લક્ષણ અવશ્ય હોય છે. સમ્યગદર્શન ને આસ્તિક્ય-એ બન્નેને અન્યય વ્યતિરેક સંબંધ છે, એટલે આસ્તિક્ય હોય ત્યાં અવશ્ય સમ્યગ્દર્શન હોય અને જ્યાં આસ્તિક્ય નથી ત્યાં સમ્યકત્વને અભાવ હોય છે.
આત્મા છે, આત્મા નિત્ય છે, કર્તા છે, ભક્તા છે, મોક્ષ છે અને મોક્ષને ઉપાય છે -આ આસ્તિક્યના છ લક્ષણો જ્યારે આત્મપરિણતિપૂર્વક-આત્મસાત્ થયા હોય, ત્યારે જ આસ્તિકwગુણ સાર્થક ગણાય છે.
કેવળ આત્મા–પરલોક વિગેરેને સ્વીકાર કરનાર આત્મા સમ્યગદૃષ્ટિ નથી થઈ શકતે, પણ વાસ્તવિક રીતે તે તે જીવઅજીવ આદિ તત્વે, કે જે પિતાના સ્વરૂપમાં રહેલા છે, તેને તે તે રીતે સ્વીકારનાર, સહનાર આત્મા સમ્યગદર્શનગુણને પામેલે કહી શકાય. તાત્પર્ય એ છે કે–આત્માના અસ્તિત્વને સ્વીકાર્યા પછી આત્માના સ્વરૂપને સંપૂર્ણપણે વફાદાર રહેનારી કર્તા, ભક્તા,નિત્યાનિત્યાદિ દરેક પ્રકારની માન્યતાઓને સ્વીકારી આત્મસાત્ કરવી જોઈએ-પરિણમવી જોઈએ.
આત્માની અસ્તિતાને સ્વીકારનાર દર્શનકારે એકાન્તવાદ સત્યની એક જ બાજુ નિરપેક્ષ દષ્ટિથી પકડી લે છે અને બીજી બાજુએ કે જે સત્યની અંગભૂત છે તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org