________________
૩૫૮ ].
શ્રી જી. એ. જેન ચન્થમાલા સાંભળી નિંદા કરે, સાચી બુદ્ધિવાળાને દેખી રેષ કરે, સરળને મૂર્ખ કહે, વિનય કરનારને ખુશામતીઆ કહે, પાંચ ઈન્દ્રિયો વશ કરી હોય તેને ભાગ્યહીન કહે, સાચા ગુણવાળાને દેખી રાષ–ઈર્ષા કરે, વિષયાસક્તિમાં લયલીન થાય અને નિત્ય વિકથા કરે,- આવા અશુભ ગતિને પ્રાપ્ત કરે છે.
પાશવીય–૧, ધર્માન્ય-૨, વિવેકશૂન્ય-૩, શારીરિક-૪, સ્વાર્થ-૫, વૈકારિક-૬, અનાર્ય–૭, ઇન્દ્રજાલ-૮, વિષયપ્રેમ-૯, અવિવેક-૧૦, ચલ-૧૧, વ્યક્તિ પ્રેમ-૧૨, સાધ્યશૂન્ય-૧૩, નૈતિક-૧૪, ક્ષયિક-૧૫, નિસાર–૧૬, ધમબીજ-૧૭, પૂર્વસંસ્કાર-૧૮,ગુણપ્રેમ-૧૯, અને આત્મિક પ્રેમ-૨૦. આ વીસ જાતિના પ્રેમ છે. પ્રથમના સેલ સંસારવૃદ્ધિના હેતુ છે, જ્યારે ધર્મબીજ આદિ છેલલા ચાર પ્રેમ મુક્તિના ઉત્તરોત્તર કારણરૂપ છે. ધર્મબીજ પ્રેમની સામાન્યથીમાર્ગાનુસારીપણાથી શરૂઆત થાય છે અને વિશેષથી સમ્યકુત્વથી શરૂઆત સમજવી. આ પ્રેમ સિવાય ધર્મની શરૂઆત થતી જ નથી.
મેક્ષ આપણું પરમ સાધ્ય હોવું જોઈએ. આપણે શુભ કાર્યો કરીએ છીએ તેને તથા દાન, જ્ઞાન, ક્રિયા, ઇન્દ્રિયનું દમવું વિગેરેને હેતુ શે ? કેઈ કહેશે કે-જનહિત. જનહિત કરવાને હેતુ શ? આ પ્રમાણે સવાલ પૂછતાં પૂછતાં છેવટે મોક્ષ પ્રાપ્ત કરવાનો હેતુ જ આવશે.
આત્મા સર્વ વ્યવહારિક ઉપાધિઓથી મૂકાઈ સ્થિર તામાં રહે, એ સ્થિતિ પ્રાપ્ત કરવાનું સર્વનું અંતિમ સાધ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org