________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૩૬૧ સમુચ્ચય. આ માત્ર વિચારને જ વિષય નથી, પરંતુ આચરણામાં પણ તેને સ્થાન છે.
સ્યાદ્વાદનું આ શિક્ષણ જગતના સાંપ્રદાયિક કલહકેલાહલને શમાવવામાં અને રાગ-દ્વેષને ઠારવામાં મહાન ઉપયોગી છે.
સ્યાદ્વાદની પાછળ સામ્યવાદનું રહસ્ય છે, અર્થાત–તેમાં સમભાવપૂર્વકનો વાદ છે. સ્યાદ્વાદના અભ્યાસપાઠમાં “અપેક્ષાવાદ અને સમન્વયવાદ પ્રાધાન્ય ધરાવતાં હોઈ એ બન્ને સ્યાદ્વાદના જ નામાન્તર થઈ પડ્યા છે.
અનેકાન્તવાદ જનતામાં શાન્ત ભાવનું વાતાવરણ ઉપજાવનાર છે અને એથી જ એ સમભાવનું મૂળ છે. એટલા માટે પુરુષો એને સામ્યવાદ પણ કહે છે.
નયવાદ મનુષ્ય-પ્રજાની દૃષ્ટિને વિશાળ અને હૃદયને ઉદાર બનાવી મૈત્રીભાવને રસ્તે તેમને સરળ કરી આપે છે. આ રીતે જીવનના કહો શમાવવામાં અને જીવનવિકાસને માર્ગ સરળ કરી આપવામાં નયવાદ સંસ્કારી જીવનનું સમર્થ અંગ છે.
અનેકાન્તવાદનું મૂખ્ય ધ્યેય સંપૂર્ણ દર્શનેને સમાનભાવથી (સરખા ભાવથી નહિ) દેખી માધ્યચ્યભાવ પ્રાપ્ત કરવાનો છે. આ જ ધર્મવાદ છે અને આ જ શાસ્ત્રનો મર્મ છે. જેવી રીતિએ પિતા પિતાના સર્વ પુત્ર ઉપર સમભાવ રાખે છે, તેવી રીતિએ અનેકાન્તવાદ સંપૂર્ણ નાને સમાનભાવથી દેખે છે. જેમ સઘળી નદીઓ એક સમુદ્રમાં જઈને મળે છે, તેમ સઘળાં દર્શનેને અનેકાન્ત દર્શનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org