________________
૩૬૨]
શ્રી છ. અ. જૈન ગ્રન્થમાલા. સમાવેશ થાય છે. એથી જ જૈનદર્શન સર્વ દર્શને સમન્વય કરે છે.
જેમ અનેકાન્તદષ્ટિ એ એકાન્તદષ્ટિ ઉપર પ્રવર્તતા મતાંતરના અભિનિવેશથી બચવાની શિક્ષા આપે છે, તેમ તે અને કાન્તદષ્ટિને નામે બંધાતા એકાન્ત ગ્રહથી બચવાની પણ શિક્ષા આપે છે. જૈન પ્રવચન અનેકાન્તરૂપ છે-એમ માનનાર પણ, જો તેમાં આવેલા વિચારોને એકાન્તરૂપે ગ્રહણ કરે, તે તે સ્થૂલદષ્ટિએ અનેકાન્તસેવી છતાં તાત્વિકદષ્ટિએ એકાન્તી જ બની જાય છે.
જેમાં અનેકાન્તદષ્ટિ લાગુ કરવી હોય, તેનું સ્વરૂપ બહુ બારીકાઈથી તપાસવું. તેમ કરવાથી સ્થૂલદષ્ટિએ દેખાતાં કેટલાક વિરે આપેઆપ શમી જાય છે અને વિચારણીય વસ્તુનું તાત્તિવક સ્વરૂપ ચક્કસ રીતે ધ્યાનમાં આવે છે.
શ્રી આનંદઘનજી મહારાજ પિતાના રચેલા પદમાં બળાપ કરી એવો ભાવ જણાવે છે કે જે આ સાતેય નયાદિને-અનેકાન્તવાદને એક બાજુથી જોઈએ તે તે સ્વાત અસ્તિ લાગે છે, બીજી દૃષ્ટિથી જોઈએ તે તે સ્થાત્ નાસ્તિ લાગે છે, વળી અવક્તવ્ય લાગે છે,-એમ અનેક રુપે દેખાય છે. વળી એ સાતેય ન તેના જૂદા જૂદા આકારમાં બતાવે છે. આવું તેનું સ્વરૂપ તે કઈ નિષ્પક્ષ થઈને જૂએ તે જ દેખી શકે ને તેવા તે જગતમાં વિરલા જ છે. પોતાના મતમાં આસક્ત હોય તે તેને સમજાવી શકતા નથી. સત્યને સત્ય ન માનતાં પિતાનું સત્ય માનવા૫ આગ્રહમાં મસ્ત બની ગયા હોય, તે કેવી રીતિએ દેખી શકે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
WWW.