________________
૩૩૦ ]
શ્રી છ. અ. જૈન ગ્રન્થમાલા માત્ર છે, એવા ઉત્તમ મનુષ્ય અને વર્ષા કરવાવાળે મેઘએ બે જગતમાં બહુ દુર્લભ છે. - જે લેકે માત્ર શબ્દગૌરવપૂર્વક બીજાઓને બોધ દેવામાં કુશલ હોય છે, પણ પોતે પોતાને એ ઉપદેશથી વિનાકારણ જ મુક્ત સમજે છે, એવા લોકોને ઉપદેશ નિરર્થક સિદ્ધ થાય છે અને તેનાથી વસ્તુતઃ કાંઈ લાભ થતો નથી. આજના મોટા ભાગના ઉપદેશકે, શિક્ષક, અધિકારીઓ અને નેતાઓમાં આ દેષ સાંભળવામાં આવે છે, તેથી જ તેઓ પોતાના ઉપદેશદ્વારા સુધારે કરવામાં જનતાને કુમાગથી હઠાવી સન્માર્ગ પર લાવવામાં નિષ્ફળ નિવડે છે.
મૂખ્યત્વે કરીને ઉપદેષ્ટાના અંતરમાં સમતા રમી રહી હોય, માધ્યસ્થભાવ જાગૃત હાય, મત-મમત્વના પક્ષવલને ત્યાગ કર્યો હોય, તે જરુર મધુર વચનથી શ્રોતાના મન ઉપર તેવી જ સારી અસર કરી શકે છે, પરંતુ જે તેના મનમાં જ કેઈ બીજી વાત વસી હોય તે ગતિ કે અગતિ, સીધી કે આડકતરી ટીકાઓ કરી ઉભયના હિતને નુકશાન કરે છે. માટે જ વક્તાએ માધ્યસ્થતા, પક્ષત્યાગ, વિનય અને વચનશુદ્ધિ રાખવાની આવશ્યક્તા માની છે.
તત્વજ્ઞાની મહાત્માઓએ આપેલો ઉપદેશ જે વારંવાર વિચારવામાં આવે, તે જ ઉત્તમ ફળ આપે છે. જે પુરૂષ અનાદરથી ઉપદેશના અર્થને ધારે નહિ, તેને તે ઉપદેશ કાંઈ પણ ફળ આપતા નથી.
ખાનપાન, રહેઠાણ વિગેરેમાં જેમ માણસોની રુચિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org