________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૩૩૯
એળખ્યા વગર, આત્માનું પરિણતિ જ્ઞાન થયા વગર અને તેને ઓળખવાના સમ્યક્ સાધના સેવ્યા વિના આત્મામાં આત્માના ગુણે। મેળવવા પ્રવૃત્તિ થઈ શકતી નથી.
જીવને જ્યાં સુધી વસ્તુસ્વરુપના યથાસ્થિત ધ થતા નથી, ત્યાં સુધી તે અસત્પરિણતિમાં રહી કાળ નિમન કરે છે.
જીવ પેાતાનું સ્વરુપ જ જાણી શકતા નથી, તે પછી પરનું સ્વરૂપ જાણવા ઇચ્છે તે તેનાથી શી રીતિએ જાણીસમજી શકાય ? અને જયાં સુધી તે ન સમજવામાં આવે, ત્યાં સુધી ત્યાં રહી ગુંચવાઈ ડાળાયા કરે છે. શ્રેયકારી એવું નિજસ્વરૂપનું જ્ઞાન તેણે જ્યાં સુધી પ્રગટ નથી કર્યું, ત્યાં સુધી પરદ્રવ્યનું ગમે તેટલું જ્ઞાન મેળવે તે કશાય કામનું નથી; માટે ઉત્તમ રસ્તા એ છે કે-બીજી બધી વાતા મૂકી દઈ પેાતાના આત્માને ઓળખવા પ્રયત્ન કરવા.
પેાતાને શાની જરૂરીયાત છે અને શું મેળવવું છે?-- એ જ્યાં સુધી નક્કી ન કર્યું હોય, ત્યાં સુધી નિશાન વિનાના ફેકેલા ખાણાની માફક તેમના પ્રયાસ સફળ થતા નથી. એટલે પ્રથમ પેાતાને મેળવવા ચેાગ્ય શુદ્ધ આત્માને આધ કરવા જોઈ એ અને પછી તેને પ્રગટ કરવામાં સહાયક ક્રિયા કરવી જોઈએ. સભ્યષ્ટિ આત્માને શુદ્ધ આત્માના એપ હાય છે અને ત્યાર પછી જ ક્રિયા ફળદાયક થાય છે.
પેાતાનું શું છે અને શું નથી એ જો સ્પષ્ટ સમજાઈ જાય, તા પાતાનું જે હાય તે પ્રગટ કરવા અને જાળવવા પ્રયાસ થાય. એમ કરતાં સાધ્ય પણ સ્પષ્ટ થાય, પેાતાનું અને પારકું સમજવાના જ્ઞાનને જૈન પરિભાષામાં ભેદજ્ઞાન કહેવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org