________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૩૩૭ મોહનો વિનાશ તત્વચિંતન કરવાથી થાય છે. તત્ત્વચિંતન એ જ કે-સંસારસમુદ્રની નિર્ગુણતા (વિચિત્રતા, નિસારતા, દુઃખરૂપતા) અને જગત્ તથા આ સુખ-દુઃખ શું છે?-એ સંબંધી વિચારણા કરવી, તેમજ આત્મા અને જડ-પગલિક પદાર્થોનું પૃથક્કપણું વિચારવું.
આત્મા શી વસ્તુ છે?, આત્માને સુખ-દુઃખને અનુભવ કેમ થાય છે?, આત્મા પોતે જ સુખ-દુખના અનુભવનું કારણ છે કે કોઈ અન્યના સંસર્ગથી આત્માને સુખ-દુઃખને અનુભવ થાય છે?, કર્મને સંસર્ગ આત્માને કેમ થઈ શકે છે?, તે સંસર્ગ અનાદિ છે કે આદિમાન?, અનાદિ હોય તે તેને ઉછેર કેવી રીતિએ થઈ શકે ?, કર્મનું સ્વરૂપ કેવા પ્રકારનું છે?, કર્મના ભેદાનભેદ કેવી રીતિએ છે?, કર્મને બંધ, ઉદય અને સત્તા કેવી રીતિએ નિયમબદ્ધ છે?—આ બધી બાબતે અધ્યાત્મરૂપી બગીચામાં વિહરવાના અભિલાષીઓએ જાણવાની હોય છે, તેમજ સંસારની નિર્ગુણતાનું-અસારતાનું અવલોકન કરવાની જરુરીયાત રહે છે.
દુનિયાના છ જે જે વસ્તુથી વસ્તુતઃ સુખની પ્રાપ્તિ થવાની જ નથી પણ દુઃખની જ પ્રાપ્તિ થવાની છે, તે તે વસ્તુઓની પ્રાપ્તિ માટેના પ્રયત્નો કરી રહ્યા છે અને એથી મહેનત સુખ માટેની છતાં પરિણામ દુઃખમાં આવે છે.
જે દુઃખને ટાળવું હોય અને સાચા સુખને પ્રાપ્ત કરવું હોય, તે પરવસ્તુને પરવસ્તુ તરીકે યથાસ્થિત સમજી સ્વવસ્તુને આત્મસાત્ કરવી જોઈએ, અર્થાત્ આત્મસ્વભાવ તરફ દષ્ટિ કરવી જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org