Book Title: Parmarthasuchak Vastu Vichar Sangraha
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 52
________________ --- ૩૩૬] શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા અનંત જન્મથી કર્મ કલેશવાળા ગાઢ થયેલા આ આત્માને તે કર્મ કલેશથી જે રીતે છૂટકારો થાય, તેવા પ્રકારને પ્રયત્ન તે પરમાર્થ અર્થાત્ તે જ સ્વાર્થ–આત્માર્થ છે. અનાદિકાળના અજ્ઞાનને લીધે એટલે કાળ ગ. તેટલે કાળ મોક્ષ પ્રાપ્ત કરવા માટે જોઈએ નહિ, કારણ કે-પુરુષાર્થનું બળ કર્મના પ્રાબલ્ય કરતાં વધુ છે. કેટલાક જી બે ઘડીમાં કલ્યાણ કરી ગયા છે. સમ્યગ્દષ્ટિ જીવ ગમે તે રીતે આત્માને ઉંચે લાવે અર્થાત્ સમ્યકત્વ પ્રાપ્ત થયે જીવની દષ્ટિ ફરી જાય છે. અનાદિકાળથી આપણી દૃષ્ટિ અશુભ નિમિત્તાની પ્રબળતાને લઈને પરાધીનતા તરફ ધસી રહી છે. પર-પદાર્થોના નિમિત્તપણને લીધે ઈછાનિષ્ટ કલપનાઓ આપણા ઉપર સ્વારી કરીને બેસી જાય છે. તેને નાશ કરે અને તેવા નિમિત્તોને દૂર કરી આત્મદ્રવ્યની શુદ્ધ દષ્ટિ વિકસાવવી, એ જ સાચે મોક્ષમાર્ગ છે. આત્માએ આત્માના પિતાના) સન્મુખ થવું, પિતે પિતાને જાણ એ જ “ધમને યૌવનકાળ” છે. જ્યારે છેલ્લા પુદ્ગલપરાવર્તનકાળની અંદર જીવ પ્રવેશ કરે છે, ત્યારે જ પુરુષાર્થ ખરેખર વિજયી નિવડે છે. સિવાય દરેક મનુષ્યને પુરુષાર્થ સફળ થતું નથી. - પુરુષાર્થ વડે શુભાશુભ કર્મને પરાજય કરવા માટે તત્વજ્ઞાન જાણવું જોઈએ. આત્મા અને તેને વિરોધી પદાર્થ જડભાવ-આ બન્નેનું જ્ઞાન જાણવાથી જ સ્વભાવ તરફ પુરુષાર્થ કરવો સુગમ પડે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80