Book Title: Parmarthasuchak Vastu Vichar Sangraha
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 61
________________ પરમાર્થિક લેખસંગ્રહ [૩૪૫ કઈ પણ વસ્તુને સર્વથા નાશ થતું નથી પણ તેના પર્યાયે બદલાય છે. પુદ્ગલની આકૃતિ બદલાય છે પણ તેના પરમાણુ તે જગતમાં કાયમ જ રહે છે. આ રૂપાંતર થવું તે જ દરેક વસ્તુને “પુનર્જન્મ સમજે. સુખ-દુઃખ એ પૂર્વકમને અનુસાર પ્રાપ્ત થાય છે, એ વાત સ્વાનુભવસિદ્ધ છે. તે ગર્ભમાં આવ્યું તે ક્યા કર્મથી? તે કર્મને કાળ ગર્ભમાં આવ્યા પહેલાંને માનવો જ પડશે, એટલે ગર્ભમાં આવ્યા પહેલાને જન્મ તે જ આત્માને “પુનર્જન્મ.” કાર્યકારણને વિચાર કરતાં કારણ પહેલું સંભવે છે, તે માનવદેહરૂપ કાર્ય તેનું કારણ આ દેહત્પત્તિની પહેલા જ માનવું પડશે. એ જ પુનર્જન્મની સિદ્ધિ. દરેક કાર્ય ભૂતકાળમાં થયેલા કારણનું કાર્ય છે અને તે જ કાર્ય ભવિષ્યમાં થવાના કાર્યનું પાછું કારણ થાય છે. આ પ્રમાણે જોતાં દરેક કર્મ એક રીતે કાર્ય છે અને બીજી રીતે જોતાં કારણ છે. આ રીતે કાર્ય માત્રને કાર્ય-કારણ સંબંધ છે. જે પુનર્જન્મ ન હોય તે આ ભવમાં નીતિના નિયમેને અનુસરવાની કઈ પણ લાલચ રહેતી નથી. ફક્ત વ્યવહારમાં કમાઈ ખાવા ખાતર નીતિને દેખાવ કરવાની જરૂર જણાય છે. જે જીવનભાવનામાં પરલોક સંબંધીની જવાબદારી મૂખ્યપણે હોય અને મનુષ્ય આદિ આત્માનું અનંતપણું સ્વીકારાતું હોય, ત્યાં જ હૃદયપૂર્વકની નીતિ, ન્યાય, સદ્વર્તન, પ્રેમ અને ઉત્તમ વ્યવહારની આશા રાખી શકાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80