Book Title: Parmarthasuchak Vastu Vichar Sangraha
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 71
________________ પારમાધિક લેખસંગ્રહ [ ૩૫૫ એવા જીવને બને તેટલા તે તે નિમિત્તવાસી અને સંગ ત્યાગ ઘટે છે અને નિત્ય પ્રત્યે સત્સંગ કરે ઘટે છે. સત્સંગના અગે તથા પ્રકારના નિમિત્તથી દૂર રહેવું ઘટે છે. જે સત્સંગતિ, ધર્મશાસ્ત્રોનું વાંચન અને તત્વમનનએ ત્રિપુટીને અહનિશ સમાગમ રાખવામાં આવે, તે ગમે તેવા વિષમકાળમાં પણ મનુષ્ય પોતાની જીંદગીને પવિત્ર બનાવી શકે છે. સાંભળવા ગ્ય તત્વ સાંભળવાની ઉત્કટ ઈચ્છા, પરિ હારને ચોગ્યને પરિવાર, સશાસ્ત્રનું શ્રવણ અને આત્મધર્મને વિષે સ્થિત એવા સત્પષને ઓળખી તેમની હૃદયથી પ્રશંસા કરવી–એ ચાર આત્માને પરમ હિતકારી છે. સત્પની પ્રશંસા એ છે કે-ગુણવાન મહાત્માઓની ગુણવાન તરીકેની ઓળખાણપૂર્વક તેમને યથાયોગ્ય પ્રણામ નમસ્કાર કરવા અને અંતઃકરણમાં પૂજ્યબુદ્ધિ ધારણ કરવી. દરિદ્ય મનુષ્ય જેમ ધનવાનને ત્યાં રહેલું સુવર્ણ જુએ તથા સ્પર્શ કરે તો પણ ભાગ્યહિનને તે દ્રવ્યની પ્રાપ્તિ થઈ શકતી નથી, તેમ સચ્ચિદાનંદ સ્વરૂપવાળા આત્માનું શ્રવણ તથા મનન કર્યા છતાં પણ વૈરાગ્યરૂપ ભાગ્ય વિના વિષયી જનેને તે આત્માની પ્રાપ્તિ થઈ શક્તી નથી. શાસ્ત્ર, ગુરૂને વિનય, ક્રિયા અને આવશ્યક-એ સર્વ વ્યવહારને વિષે નિપુણ પુરુષોએ સંવરના અંગરૂપ એટલે સાધનપણે કહ્યા છે, પણ સંવરરૂપ કહ્યા નથી. વાણું, શરીર અને મનના પુગલો એટલે પરમાણુસમૂહ (સ્ક) પ્રાણુના સંબંધમાં સ્વભાવથી વિલક્ષણ હોય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80