________________
--
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૩૪૭ સાધી શકાય છે. જીવને જ્યારે સાચી લ્યાણવૃત્તિ જાગે, ત્યારે ભાવસ્થિતિ પાકી છે એમ સમજવું.
જગમાં જીવોની અનંતાનંત રાશિ છે, એમાં મનુષ્યસંખ્યા તે અતિ અલ્પ છે. તે નાની હોવા છતાં સર્વ પર્યાયમાં મૂખ્ય છે. આ જ પર્યાયમાં જીવ પોતાની શક્તિને વિકાસ સાધીને અનાદિ સંસારના બંધનજન્ય-મર્મભેદી દુઃખને સમૂળે નાશ કરી અનંત સુખના આધારરૂપ પરમપદને મેળવી શકે છે. સંયમગુણની પૂર્ણતા પણ આ જ પર્યાયમાં સધાય છે, જે પરમપદના હેતુરૂપ છે.
સંસારરૂપ સમુદ્રને તરવાના ઉપાયરૂપ ચારિત્રરૂપી વહાણ છે, પણ તેમાં કર્મોને આશ્રવરૂપ છિદ્રો ન પડે તેની સતતુ સાવધાની રાખવી પડે છે.
મજબૂત નાવ અને માહિતગાર નાવિકથી જેમ સાગરને તરીને પાર પમાય છે, તેમ સંસારસાગર સદ્ધર્મરૂપી નાવ અને સદ્ગુરુરૂપી નાવિકથી પાર પામી શકાય છે.
સેનાના ગ્રાહકો સેનું લીધા પહેલાં ચાર પ્રકારે તેની પરીક્ષા કરે છે. પ્રમથ કસોટી ઉપર ઘસે છે, તેથી નિશ્ચય ન થાય તે તેને કાપ મારે છે, તેથી પણ નિશ્ચય ન થાય તે અગ્નિમાં તપાવે છે અને હડીથી ટીપે છે. તેવી રીતે ધર્મના જિજ્ઞાસુઓએ ધર્મની ચાર પ્રકારે પરીક્ષા કરવી જોઈએ.
પ્રથમ ધર્મના ઉપદેશકે કેવા ચારિત્રવાળા છે તે જોવું અને પછી ધર્મના શાસ્ત્રો કેવા સંગત છે અર્થાત્ પૂર્વાપર અવિરેાધ છે કે નહિ તે જોવું. એટલેથી જ નિશ્ચય ન થાય તે ધર્મને સ્યાદ્વાદ સિદ્ધાંત અને આચાર–વતન કેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org