Book Title: Parmarthasuchak Vastu Vichar Sangraha
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 26
________________ ૨૯૪ ] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા જો વાંચનપરિચય, નિદિધ્યાસન હાય, તે તેમાંથી કાંઈ ને કાંઈ સમજવાનું વિચારવાનું, આદરવાનું અને મનન કરવાનું જરૂર મળી આવે છે. જ્યારે મનનની ટેવ પડે છે, ત્યારે જ વસ્તુરહસ્ય સમજાય છે. મનન કર્યાં વગર વસ્તુસ્થિતિ સમજાતી નથી, આત્મજાગૃતિ સ્કુરાયમાન થતી નથી અને વાંચેલા વિષય અંતરંગમાં જરા પણ અસર કર્યાં વગર ઉપર ઉપરથી ચાલ્યા જાય છે. એક અંગ્રેજ વિદ્વાને ખરૂ કહ્યું છે કે-‘પાંચ મીનીટ વાંચા અને તેના ઉપર પંદર મીનીટ વિચાર કરે.' આવી રીતે જ્યારે મનન કરવાની ટેવ પડશે, ત્યારે જ ખરેખરા સાર શેાધી શકાશે. પેાતાની રૂચિવર્ડ પેાતાની બુદ્ધિથી જ વિચાર કરીને જ્યાં સુધી જાણવાયેાગ્ય વસ્તુ જાણી ન હાય, ત્યાં સુધી તે વસ્તુ સમજાતી નથી. કાઈ પણ ધર્માંની મહત્ત્વતા સમજવા માટે તેના દ્રવ્યાનુયાગની મહત્ત્વતા સમજવાની જરૂર પડે છે અને કિંમત પણ તેનાથી જ થાય છે. ભાષા ગમે તે ડાય, પરંતુ જેમાં અધ્યાત્મનિરૂપણના વિષય હાય અને અનુભવના રસ ભરેલા હાય, તેા તેને સંસ્કૃત કરતાં પણ ગભીર સમજવી જોઇએ. જેમ ભેાજનની એક જ વસ્તુ ભિન્ન ભિન્ન પાત્રોમાં મૂકવાથી તેના સ્વાદમાં ફરક પડતા નથી, તેમ ભાષાના ભેદો હાવા છતાં તેથી કરીને અમાં કશું ફરક પડતા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80