Book Title: Parmarthasuchak Vastu Vichar Sangraha
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 30
________________ ૨૯૮ ] શ્રી છ. અ. જેના થથમાલા વસ્તુતઃ જોઈએ તે બહિર્મુખવૃત્તિ એ જ સંસાર છે. બહિર્મુખવૃત્તિમાં રાગ અને દ્વેષને રસ હોય છે, તેથી આત્માને કર્મ પણ ચીકણું બંધાય છે. * જ્યાં સુધી સંસારમાં આસક્તિ હોય છે, ત્યાં સુધી બહિર્મુખવૃતિનું વિશેષ પ્રાબલ્ય હોય છે. આત્મજ્ઞાન-સમ્યગદષ્ટિની પ્રાપ્તિ થતાં આત્મા પિતાના શુદ્ધ સ્વરૂપને ઓળખે છે અને તેથી અંતમુખવૃત્તિની સાથે રમણતા કરે છે. જ્યાં સુધી બહિર્મુખવૃત્તિ હોય છે ત્યાં સુધી સર્વ પ્રકારની વિદ્યાને અભ્યાસ પણ પરિભ્રમણહેતુ છે, કારણ કેતત્વને તત્વસ્વરૂપે જાણ્યા સિવાય સંસારને પાર આવતું નથી. અંતર્મુખવૃત્તિને સાધવા માટે જે જે નિમિત્તકારણેને અવલંબવા પડે અને જે જે વ્રત–બાહ્ય ક્રિયાઓ કરવી પડે, તેને વ્યવહારથી અંતર્મુખવૃત્તિ કહેવાય છે. રાગ-દ્વેષના પરિણામની મંદતા અને આત્મામાં મનની સ્થિરતાવડે જે જે અંશે આત્મરમણતા થાય અને મનની અમુક સાધન વડે એકાગ્રતા થાય, તેને અંતર્મુખવૃત્તિ કહેવાય છે. આત્માભિમુખવૃત્તિને અંતર્મુખવૃત્તિ કહેવામાં આવે છે. સંયમના બાહ્ય હેતુઓનું અવલંબન પણ અંતર્મુખવૃત્તિ માટે જ છે. પ્રભુપૂજા-ભક્તિ, ગુરૂનું અવલંબન, પ્રતિક્રમણ, પ્રતિલેખના, તીર્થયાત્રા વિગેરેને મૂખ્ય ઉદ્દેશ અંતર્મુખવૃત્તિ પ્રાપ્ત કરવાનું છે. ધાર્મિક ક્રિયાના રહસ્યોને અવબેધ્યા વિના અંતર્મુખવૃત્તિને પ્રયત્ન સિદ્ધ થતો નથી. સાધુઓને અગર શ્રાવકેને સદા અંતર્મુખવૃત્તિ રહેવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80