________________
૩૦૪ ]
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા
દૂર કરી આત્મા અને પરમાત્માના મેળ કરી મતાવે છે.
ઐકયતા અને ભિન્નતાથી (નિશ્ચય અને વ્યવહારથી) આત્માનું ધ્યાન હિતકારી છે અને તેથી જૂદી રીતે આગ્રહ રાખનારા પુરૂષાની જે બુદ્ધિ તે વૃથા વિડંબનારૂપ છે.
આત્મસ્વરૂપના અનુભવ નિશ્ચયનયથી થાય છે અને વ્યવહારનય ભેદ્વારા આત્માથી પર એવા શરીર વિગેરેના અનુભવ કરાવે છે.
વિશ્વમાં જે બધે જીવસમૂહ જૂદા જૂદા સ્વરૂપે છે, તે નામકર્મની પ્રકૃતિથી થયેલા છે. આત્માના એ સ્વભાવ નથી. આત્માને અજ્ઞાન અને વિષયે બધન આપે છે અને સમ્યગજ્ઞાન મુક્તિ આપે છે. જ્ઞાન વિના જો કેવળ શાસ્ત્રના અભ્યાસ કરે તે તે શાસ્ત્રના પુદ્ગલેાથી મુક્તિ થતી નથી.
સઘળા સાઓ આત્માના અનુભવ થવામાં કારણ છે અને શુદ્ધ અનુભવજ્ઞાન કાર્ય છે.
આ જગતમાં જીવને બંધન કરનાર વિષયે અને દુઃખા છે, જે ચાર કષાયામાંથી ઉત્પન્ન થાય છે. ધ્યાની પુરૂષ તેવા વિષયાથી અને દુઃખોથી ખંધાતા નથી, કારણ કે-તેને આત્માને વિષે જ પ્રીતિ–લીનતા છે.
જેમ કુવાના જળની સિદ્ધિ આવકના ઝરણાં ઉપર રહેલી છે, તેમ કર્મોના ફળની સિદ્ધિ ઉંચા પ્રકારના ધ્યાનમાં રહેલી છે. એવું ધ્યાન જ પરમાનું કારણ છે.
જ્ઞાન, દશ ન, ચારિત્ર અને વૈરાગ્યએ ચાર ભાવનાથી પુરૂષ ધ્યાનની ચાગ્યતાને પ્રાપ્ત કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org