________________
પારમાર્થિક લેખસંગ્રહ
૩૨૭ અસંયમ કહ્યો છે. તેનું કારણ એ છે કે-ઉતાવળથી લેવામૂકવામાં આત્માનો ઉપગ ચૂકી જઈ તાદામ્યપણું ન થાય. આ હેતુથી ઉપયોગ ચૂકી જ તેને અસંયમ કહ્યો છે.
વસ્તુતઃ ઉપયોગ ચૂકી એ જ ચિત્તની કિલષ્ટતા છે અને એનાથી કમબંધ થાય છે.
જીવને સંગી ભાવમાં તાદામ્યપણું હોવાથી તે જન્મ-મરણાદિ દુઓને અનુભવે છે. | વિવેકગુણને લઈને આત્મા સર્વ પ્રકારના સંગથી ભિન્ન છે એમ માને છે અને વ્યુત્સર્ગ-ત્યાગના ગુણને લઈને દેહ તથા સર્વ ઉપકરણમાં આસક્તિ વગરને રહે છે.
સ્વાધ્યાય એટલે સ્વને અધ્યાય-આત્માના સ્વરૂપનું ચિંતવન. “હું કેણ છું?, મારું સ્વરૂપ શું?, મારૂં કર્તવ્ય શું?, મારૂં સાધ્ય શું?–આવા વિચારો કરવા કે આત્માના સ્વરૂપને લગતું વાંચન કરવું, તે સ્વાધ્યાય છે.
પિતાના જ્ઞાન અને શક્તિ બહાર હોય તેવા અનુકાનમાં પ્રવૃત્ત થવું, તે ખરેખર પિતાના અધિકારથી ભ્રષ્ટ થવા બરોબર છે.
એટલા જ માટે પૂર્વાચાર્ય ભગવંતે કહે છે કે શક્ય કાર્ય આરંભ કરો અને શુદ્ધ પક્ષને સ્વીકાર કરે. તેનાથી ઉલટ અશક્ય કાર્ય આરંભ અને અશુદ્ધ પક્ષને સ્વીકાર કરે,-એ આત્મવિડંબનારૂપ હોઈ અહિતકર છે.
જે કાર્ય કરવું શક્ય ન હોય અથવા તે તે કરવા પૂરતું આપણું વીર્ય–ઉત્થાન કહે કે સામર્થ્ય પણ ન હોય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org