________________
૨૯૦]
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા કાર્યકર નિવડતી નથી. શ્રદ્ધાની ભૂખ્યતા અને બુદ્ધિની ગણતા સમજવી.
જ્યાં સુધી ભગવાન શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા માનવામાં ન આવે, ત્યાં સુધી સમક્તિની પ્રાપ્તિ થતી નથી. પ્રભુ અત્યારે વિદ્યમાન નથી, પરંતુ તેમના ભાખેલાં સૂત્રે મોજુદ છે. તે સૂત્રોમાં પ્રભુએ કહ્યું છે, તે મુજબ જે આપણે માનીએશ્રદ્ધિએ તે જ પ્રભુની આજ્ઞા માની કહેવાય અને તે જ સમકિતપ્રાપ્તિને યોગ્ય બની શકાય.
માનવું અને પાળવું-એ બે વસ્તુ એક નથી. માનવું એટલે પાળવાની હાદિક ભાવના અને પાળવું એટલે અખલિત જીવન ગાળવું. આ ભાવના ત્યારે જ ટકી શકે કેજ્યારે શ્રદ્ધાભાવિત હૃદય હેય.
દુનિયાના તમામ ધર્મશાસ્ત્રોમાં પારદર્શિતા મેળવવામાં આવે, પણ જે પોતાના કર્તવ્યો સમજવામાં ન આવે, પોતાનું ખરું ધ્યેય ધ્યાનમાં લેવામાં ન આવે, પિતાની દષ્ટિ આત્મસ્વરૂપને અભિમુખ કરવામાં ન આવે, તે તે ગમે તેટલી વિદ્વત્તા–ગમે તેટલી શાસ્ત્ર પારદશિતા પણ ફેગટ છે.
જ્યારે એક વિદ્વાન ગણાતા મનુષ્યને અશુદ્ધ વ્યવહારમાં પ્રવર્તત દેખવામાં આવે, ત્યારે સમજવું કે-તેનું જ્ઞાન હજુ પ્રથમ પંક્તિ ઉપર જ છે. પ્રવૃત્તિમાં આત્માને લાભઅલાભને સદ્ભાવ જ્યાં સુધી તેના જ્ઞાનને વિષય થાય નહિ, ત્યાં સુધી જ્ઞાન આડંબર માત્ર રહે છે અને તેવા જ્ઞાનને શાસ્ત્રકાર અનેક પ્રસંગે અજ્ઞાન જ કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org