Book Title: Nihnavavad
Author(s): Dhirajlal Dahyalal Mehta
Publisher: Jain Dharm Prasaran Trust

View full book text
Previous | Next

Page 15
________________ અને ચોવીશ યવિકાનો અભ્યાસ કર્યો. ત્યારબાદ માતાની પ્રેરણાથી તેમના ભાઇ ફલ્યુરક્ષિત પણ દીક્ષિત થયા. ત્યારબાદ તે બંન્ને ભાઇઓ માતા-પિતા પાસે આવ્યા અને પ્રતિબોધ કરીને માતા-પિતાને તથા પોતાના મામા ગોષ્ઠામાહિલને પણ પ્રવ્રજિત કર્યાઅર્થાતુ દીક્ષા આપી. આ પ્રમાણે તેમનો ગચ્છઘણો મોટો થયો. તેમના ગચ્છમાં ચાર શિષ્યો પ્રધાનતર હતા. ૧. દુર્બલિકા-પુષ્યમિત્ર, ૨. વિંધ્યમુનિ, ૩. ફલ્યુરક્ષિત અને ૪ ગોષ્ઠામાહિલ. એક વખત મથુરાનગરીમાં માતા-પિતા આદિ આ સંસારમાં કોઇ છે જ નહીં. આવા નાસ્તિકવાદની પ્રરૂપણા કરનારો વાદી પ્રગટ થયો. ત્યારે સંઘે આર્યરક્ષિત આચાર્યને ત્યાં આવવા કહ્યું. પરંતુ આર્યરક્ષિતસૂરિજીની વૃદ્ધાવસ્થા હોવાથી તેઓએ વાદલબ્ધિસંપન્ન એવા ગોષ્ઠામાહિલને ત્યાં મોકલ્યા. ગોષ્ઠામાહિલે વાદીને હરાવ્યા. અને શ્રાવકોએ તેમનું ચાતુર્માસ ત્યાં જ કરાવ્યું. - બીજી બાજુ આર્યરક્ષિતસૂરિજીએ પોતાની પાટે દુર્બલિકાપુષ્પમિત્રને સ્થાપિત કર્યા. તે દુર્બલિકાપુષ્પમિત્ર ગચ્છાધિપતિ બન્યા. આ તથા ગુરુજી શ્રી આર્યરક્ષિતસૂરિજી કાળધર્મ પામ્યા છે. આ બંન્ને સમાચાર સાંભળીને ગોષ્ઠામાહિલને મત્સરભાવ થયો. તેઓ અભિમાનના કારણે દુર્બલિકાપુષ્પમિત્ર પાસે વાચના લેતા ન હતા. પરંતુ વિંધ્યમુનિ પાસેથી બધુ જ સાંભળી લેતા. એક વખત કર્મપ્રવાદ નામના આઠમા પૂર્વમાં કર્મવિચાર ઉપર દુર્બલિકાપુષ્પમિત્ર વ્યાખ્યાન આપતા હતા. ગોષ્ઠામાહિલ તે વ્યાખ્યાન પાછળથી સાંભળતા હતા. તેમાં કર્મબંધના ત્રણ પ્રકાર આવ્યા. પૃષ્ટ, બદ્ધ, અને બદ્ધસ્કૃષ્ટ. જીવ વડે બંધાયેલું કર્મ પોતાના આત્મપ્રદેશોની સાથે ક્ષીરનીરવત્ અને લોહાગ્નિની જેમ એક-મેક થાય છે. આવું સમજાવતા વિધ્યમુનિની પાસે ગોષ્ઠામાહિલ સાંભળી રહ્યા છે. ત્યારે મિથ્યાત્વમોહનો ઉદય થવાથી વિપરીત બુદ્ધિવાળા થઇને કહેવા લાગ્યા કે, વિધ્યમુનિનું આ વ્યાખ્યાન સદોષ છે. કર્મનો જીવની સાથે એકાકાર સંબંધ માનવાથી મોક્ષનો અભાવ જ થશે. તેથી આ સિદ્ધાંત બરાબર નથી. પરંતુ સાપની કાંચળીની જેમ કર્મો જીવની સાથે માત્ર સ્પષ્ટજ થાય છે. બદ્ધ થતા નથી. જેમ સર્પ કાંચળી છોડીને જાય છે તેમ આ જીવ પણ પોતાની સાથે સ્પષ્ટ માત્ર કર્મ છોડીને જાય છે. આવો એક વિવાદ મનમાં શરૂ થયો. તથા એકવખત નવમા પૂર્વમાં કર્મ સંબંધી વિચારોનો અભ્યાસ કરતા-કરતા તેને બીજો વિવાદ મનમાં જાગ્યો કે, સાધુ સંબંધી કરેમિભંતેના પચ્ચખ્ખાણમાં જાવજીવ પજુવાસામિ આ પાઠ સાંભળતા મનમાં વિવાદ જાગ્યો કે, જો જાવજીવનું જ પચ્ચખાણ કરીશું તો મૃત્યુ બાદ ભોગ ભોગવવાની તમન્ના તીવ્રતર બનશે. માટે આ યાવજીવની અવધિ એ સદોષ વ્યાખ્યાન છે. બીજા ભવમાં ભોગો ભોગવવાની તમન્ના ચાલુ રહે છે. માટે આવું પચ્ચખ્ખાણ કરવું તે સદોષ છે આમ મનમાં બે સ્થાને વિવાદ જાગ્યો. અને તે TOS ,

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 278