Book Title: Nihnavavad
Author(s): Dhirajlal Dahyalal Mehta
Publisher: Jain Dharm Prasaran Trust

View full book text
Previous | Next

Page 13
________________ ૭. પોતાકી વિદ્યા સામે ઉલાવડી વિદ્યા આ સાત પ્રતિસ્પર્ધી વિદ્યાઓ શીખવાડ્યા પછી તે આચાર્યે ઓઘો (રજોહરણ) મંત્રીને આપ્યો. અને કહ્યું કે, યથોચિત સમયે આ સાત વિદ્યાઓનો પ્રયોગ કરીને પરિવ્રાજકને પરાજિત કરજે. તેનાથી વિશેષ, જરૂર પડે તો આ રજોહરણ ફે૨વજે તેનાથી તે પરિવ્રાજક તને પરાજિત કરી શકશે નહીં. રોહગુપ્ત આ સાત વિદ્યાઓ શીખીને અને ગુરુજીના આશીર્વાદ લઇને રાજસભામાં ગયા અને વાદવિવાદ માટે ઉદ્યત થયા. સૌ પ્રથમ તે પરિવ્રાજકે જૈનદર્શનને માન્ય એવી રાશિના બે પ્રકાર બતાવ્યા. એક જીવરાશિ અને બીજી અજીવરાશિ. રોહગુપ્તે તુરત જ તેનું ખંડન કરતાં કહ્યું કે, રાશિના ત્રણ પ્રકાર છે. ૧. જીવ, ૨. અજીવ અને ૩. નોજીવ. નારકી તિર્યંચો માનવો આ બધા જીવરાશિ. પરમાણુ ઘટ-પટ આદિ તે અજીવરાશિ અને ગિરોળી વિગેરે જીવોની કપાયેલી પૂંછડી વિગેરે ભાગ તે નોજીવરાશિ. જેમ અધમ-મધ્યમ અને ઉત્તમ ત્રણ રાશિ છે તેની જેમ, ત્રણ રાશિ ન હોવા છતાં પરિવ્રાજકને હરાવવા ત્રણ રાશિની સ્થાપના કરી. પરિવ્રાજકને નિરુત્તર કર્યો. પોતાની હાર થવાથી ક્રોધિત થયેલા તે પરિવ્રાજકે એક પછી એક વિદ્યાઓના પ્રયોગો ચાલુ કર્યા. રોહગુપ્તે તેની સામે પ્રતિપક્ષી વિદ્યાઓના પ્રયોગો ચાલુ કર્યા. રોહગુપ્તે તેની સામે પ્રતિપક્ષી વિદ્યાઓનો ઉપયોગ કરી તેની વિદ્યાઓનો નાશ કર્યો. સૌથી પ્રથમ પરિવ્રાજકે વૃશ્ચિકો (વિંછીઓ) વિધુર્વ્યા. તેનો પ્રતિકા૨ ક૨વા માટે રોહગુપ્તે મયૂરો વિદ્યાના બળે વિકુર્તી તેનો પ્રતિકાર કર્યો. આમ સામસામી એક પછી એક વિદ્યાઓનો પ્રયોગ કરતાં કરતાં પરિવ્રાજકે ગર્દભી વિદ્યાનો પ્રયોગ કર્યો. ત્યારે ગર્દભીને સામે આવતી જોઈને રોહગુપ્તે તેના ઉપર રજોહરણ ફેરવી રજોહરણથી તાડિત કરાયેલી તે ગર્દભી પરિવાજિકની ઉપર મળ-મૂત્ર કરીને ચાલી ગઇ. ત્યારે સભાપતિએ અને સભાસદોએ પરિવ્રાજકને પરાજિત થયેલો જાહે૨ ર્યો. અને નગરની બહાર કાઢી મૂક્યો. પોટ્ટશાલે (રોહગુપ્તે)પરિવ્રાજકને જિતીને રોહગુપ્તે મકાનમાં આવીને આચાર્યની પાસે સંપૂર્ણ ઘટના અથથી ઇતિ સુધી કહી સંભળાવી. ગુરુજી એવા આચાર્યે કહ્યું કે, ‘‘તું આ રીતે જીત્યો તે સારું થયું.’’ પરંતુ રાશિ જીવ અને અજીવ એમ બે જ છે માટે પરિષદમાં ફરીથી જા અને સ્પષ્ટીકરણ કર કે રાશિ તો બે જ છે. મેં પરિવ્રાજકને જિતવા માટે જ ત્રણની કલ્પના કરી હતી. પણ પરિવ્રાજક મારી કલ્પનાને તોડી શક્યો નહીં. તેથી તે હાર્યો છે. પરંતુ ત્રણ રાશિ નથી. બે જ રાશિ છે. તેનું ખંડન-મંડન આ પ્રમાણે છે. આ પ્રમાણે કહી આવ. પરંતુ રોહગુપ્ત પોતાનો પક્ષ છોડવા તૈયાર થતો નથી. ‘‘નોજીવ’’ શબ્દમાં નો શબ્દ દેશનિષેધવાચી

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 278