________________
આગમ-કથાઓ શ્ર અઢાર પાપોનો ત્યાગી કોઈની પણ વ્યકિતગત નિંદા અવલેહના કરે, કોઈનું અપમાન કરે, તે પણ સાવધ યોગનું સેવન
કરનાર કહેવાય છે. પર નિંદા કરવી એ પીઠનુ માંસ ખાવા બરાબર છે. અતઃ આત્માર્થી મુનિએ પરનિંદાના પાપથી બચવા માટે પ્રતિક્ષણ
સાવધાન રહેવું જોઈએ. શ્ર કોઈપણ સાધુ યા ગૃહસ્થની આશાતના અવલેહના કરવાથી સાધુસાધ્વીજી ચૌમાસી પ્રાયશ્ચિતના દોષિત બને છે.નિશીથી ઉદ્દેશક ૧૩ થી ૧૫.
“સાતમો દિવસ” સોળમું અધ્યયન - અલક્ષ વારાણસી નામની નગરી હતી. ત્યાં અલક્ષ નામના રાજા રાજ્ય કરતા હતા. તે ભગવાનના પરમ ભકત હતા શ્રમણોપાસક હતા. એકવાર શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. અલક્ષ રાજા કોણિકની જેમ પોતાની ઋદ્ધિ અને પરિવાર સહિત ભગવાનના દર્શન કરવા માટે ગયા અને ભગવાનનો ધર્મોપદેશ સાંભળ્યો.
ઉપદેશ સાંભળીને રાજા વિરકત થઈ ગયા. પોતાના જ્યેષ્ઠ પુત્રને રાજ્ય સોપીને ભગવાનની પાસે દીક્ષિત થઈ ગયા. સંયમ તપનું પાલન કરતાં કરતાં અલક્ષ રાજર્ષિએ અગિયાર અંગોનું જ્ઞાન કંઠસ્થ કર્યું. પૂર્વે વર્ણવેલ ભિક્ષુ પડિમા અને ગુણ રત્ન સંવત્સર તપની આરાધના પણ કરી. અનેક વર્ષો સુધી સંયમની આરાધના કરી તે રાજર્ષિ એક માસના સંથારે વિપુલ પર્વત પરથી સિદ્ધ થયા.
અંતગડ સૂત્રમાં, આ એક અધ્યયનમાં જ રાજર્ષિનું મોક્ષ જવાનું સ્પષ્ટ વર્ણન છે. પાછળની ઉમરમાં દીક્ષા લીધી તેમ છતાં ૧૧ અંગ કંઠસ્થ કર્યા. તેના પરથી આ ધ્રુવ સિદ્ધાંત સ્વીકારતો જોઈએ કે જીનશાસનમાં દીક્ષિત પ્રત્યેક ક્ષમણ-ક્ષમણીઓને માટે આગમનું જ્ઞાન કંઠસ્થ કરવું એક આવશ્યક અને મુખ્ય કર્તવ્ય માનવામાં આવતું હતું ભલેને દીક્ષા રાજા લે કે રાણી. માત્ર અલ્પ સંયમ પર્યાયવાળા અર્જુન મુનિ અને ગજસુકુમાર મુનિના શાસ્ત્ર અધ્યયનનું વર્ણન નથી. બાકીના બધા અણગારોએ ૧૧ અંગ કે ૧૨ અંગનું જ્ઞાન કંઠસ્થ કર્યું હતું.
સાતમો વર્ગ પહેલું અધ્યયન – નંદા રાણી રાજગૃહી નગરીમાં શ્રેણિક રાજા રાજ્ય કરતા હતા. તેને અનેક રાણીઓ હતી અર્થાતુ નંદા આદિ તેર રાણીઓ, કાલી આદિ દસ રાણીઓ અને ચેલણા, ધારિણી આદિ રાણીઓ હતી.
એકવાર ભગવાન મહાવીર સ્વામી ત્યાં પધાર્યા. નંદારાણીએ ભગવાનનો ઉપદેશ સાંભળ્યો અને દીક્ષા લેવાની અંતરમાં ભાવના જાગી. શ્રેણિક રાજાની આજ્ઞા લઈને ભગવાન પાસે દીક્ષિત થઈ.ભગવાને તેને ચંદનબાળા સાધ્વીજીને સોંપ્યા. તે નંદા શ્રમણીએ વીસ વર્ષ સુધી સંયમનું પાલન કર્યું. ગુણરત્ન સંવત્સર તપ કર્યું. અન્ય પણ માસમણ આદિ અનેક જાતની તપશ્ચર્યા કરી. અંતે એક મહિનાના સંથારા દ્વારા ઉપાશ્રયમાં જ સિદ્ધ થયા.
સાધ્વીજીઓ પર્વત પર જઈને સંથારો કરતા નથી . સાધ્વીજીઓ અગિયાર અંગનું જ અધ્યયન કરે છે. બારમાં અંગનું અધ્યયન માત્ર શ્રમણો જ કરી શકે છે. એવી જ રીતે ભિક્ષુની બાર પડિમા પણ માત્ર શ્રમણો જ કરી શકે છે. શ્રમણીઓ ભિક્ષુપડીમાં નથી કરી શકતી, કારણ કે સાધ્વીજીઓ એકાકી(એકલા) ન રહી શકે. જયારે સાધુઓ એકલા રહી શકે છે. બાર પડિમાઓ ધારણ કરતી વખતે એકલા રહેવું અનિવાર્ય છે.
ભિક્ષુની બાર પડિમા નવ પૂર્વધારી જ ધારી શકે છે, આવી એક ધારણા છે. પરંતુ આ અંતગડ સૂત્રમાં અગિયાર અંગનું અધ્યયન કરનારા કેટલાય શ્રમણોએ બાર પડિમાની આરાધના કરી એવું વર્ણન છે. જેનું કારણ છે ભગવાનની હાજરી. આગમ વિહારીઓ ની આજ્ઞા પ્રાપ્ત કરી પ્રથમ સંહનન વાળા આ પડીમા ધારી શકે છે. અન્ય વિવિધ તપશ્ચર્યાઓ અને અન્ય ભિક્ષુઓની પડિમાઓ સાધ્વીજીઓ કરી શકે છે. જેનું વર્ણન આગળ આઠમા વર્ગમાં છે.
અધ્યયન ૨ થી ૧૩ નિંદાના વર્ણન જેવું જ શ્રેણિકની અન્ય બાર રાણીઓનું વર્ણન છે. આ બધી જ રાણીઓએ શ્રેણિકની હાજરીમાં જ દીક્ષા લીધી. વિસ વર્ષ સુધી સંયમ પાળી મોક્ષ પ્રાપ્ત કર્યો. તેમના નામો આ પ્રમાણે છે – ૨. નંદવતી ૩. નંદુત્તરા ૪. નંદશ્રેણિકા ૫. મરુતા ૬. સુમરુતા ૭. મહામરુતા ૮. મરુદેવા ૯. ભદ્રા ૧૦. સુભદ્રા ૧૧. સુજાતા ૧૨. સુમાનષિકા ૧૩. ભૂતદત્તા
આ સાતમો વર્ગ અહીં પૂર્ણ થયો. આઠમા વર્ગમાં શ્રેણિકની કાલી આદિ દસ રાણીઓનું વર્ણન છે. જેમણે શ્રેણિકના મૃત્ય પછી કોણિકની આજ્ઞા લઈને દીક્ષા લીધી.
આઠમો વર્ગ પ્રથમ અધ્યયન – કાલી રાણી કોણિક - ચંપાનગરીમાં કોણિક રાજા રાજય કરતો હતો. કોણિક, શ્રેણિક રાજાનો પુત્ર અને ચેલણા રાણીનો આત્મજ હતો. તે પિતાના અવસાન બાદ પોતાની રાજધાની રાજગૃહીને બદલી ચંપાનગરીમાં પ્રસ્થાપિત કરીને શાસન સંભાળવા લાગ્યો. તેથી તેના રાજ્યની રાજધાની હવે ચંપાનગરી હતી.
કોણિક રાજા રાજ્ય સંચાલનમાં યોગ્ય અને કુશળ રાજા હતો. માતા પ્રત્યે પણ તેને વિનય-ભકિત હતાં અને ભગવાન મહાવીર સ્વામીનો પણ તે અનન્ય ભકત હતો. ધર્મ પ્રત્યે પણ તેને અનુરાગ હતો. પરંતુ પૂર્વભવમાં તીવ્ર રસ પણે નિદાન (નિયાણું). કરેલું હોવાને કારણે તથા આ ભવમાં પણ નરકગામી હોવાને કારણે ઉદય અને ભવિતવ્યતા વશ કુસંસ્કારો અને કુબુદ્ધિ તેમાં વધતાં જતાં હતાં. પૂર્વભવ-નિમિતક કુસંસ્કારઃ- તે કુસંસ્કારોના પ્રબળ પ્રવાહમાં જ તેણે પિતાને કેદમાં પૂરી દીધાં. અલ્પ સમયમાં જ માતા ચેલણાની પ્રેરણાથી તેને સબુદ્ધિ આવી ગઈ. શ્રેણિકની ભવિતવ્યતા એવી જ હતી કે કોણિક પિતાની ભકિતથી પ્રેરાઈને તેમની પાસે બંધન