Book Title: Kathasar
Author(s): Jain Yuth Foram
Publisher: Jain Yuth Foram

View full book text
Previous | Next

Page 200
________________ jain કથાસાર સ્નાન નહિ કરવા આદિ નિયમોમાં પણ અહિંસા, બ્રહ્મચર્ય, ઇન્દ્રિયનિગ્રહ, આત્મલક્ષ્ય અને શરીર અલક્ષ્ય આદિ હેતુ છે. સાથે જ અલ્પવસ્ત્ર, ઢીલા વસ્ત્ર પહેરવાનો પણ તેની સાથે સંબંધ છે. વિહાર યાત્રા, પરિશ્રમી તેમજ સ્વાવલંબી જીવન, અપ્રમત્ત ચર્ચા વગેરે પણ તેમાં સંબંધિત છે. સંયમના અન્ય આવશ્યક નિયમોનું ધ્યાન રાખવામાં આવે તો અસ્નાન તેમજ અદંત ઘાવન નિયમ શરીરના સ્વસ્થ રહેવામાં જરા પણ બાધક બની શકે નહીં. 199 તાત્પર્ય એ જ છે કે શરીર પરિચર્યાના નિષેધ કરનારા આગમના નિયમોનું પાલન કરવું હોય તો ખાન-પાન તેમજ જીવનવ્યવહારના આગમ વિધાનોનું અને વ્યવહારિક વિવેકોનું પાલન કરવું પણ અતિ આવશ્યક સમજવું જોઈએ. ત્યારે જ શરીર—સ્વાસ્થ્ય તેમજ સંયમ–શુદ્ધિ તથા ચિત્ત-સમાધિ કાયમ રહી શકે છે. સાથે જ પોતાની ક્ષમતાનો ખ્યાલ રાખવાથી સુંદર આરાધના થઈ શકે છે. પરિશિષ્ટ : અધ્યયન-૪ અને ૬ :–રાત્રિ ભોજન રાત્રિભોજન કરવાથી પ્રાણાતિપાત આદિ મૂળગુણોની વિરાધના થાય છે અને છઠ્ઠું રાત્રિભોજન વિરમણ વ્રત પણ મૂળગુણ છે, તેનો ભંગ થાય છે. રાત્રે કુંથવા આદિ સૂક્ષ્મ પ્રાણી તથા ફૂલણ આદિનું દેખાવું અશક્ય હોય છે. રાત્રે આહારની ગવેષણા કરવામાં એષણા સમિતિનું પાલન પણ નથી થતું. ચૂર્ણિકારે કહ્યું છે— “જે પ્રત્યક્ષ જ્ઞાની હોય છે, તે આહારાદિને વિશુદ્ધ જાણવા છતાં પણ રાત્રે નથી ખાતા, કારણ કે મૂળગુણનો ભંગ થાય છે. તીર્થંકર, ગણધર અને આચાર્યો દ્વારા આ રાત્રિભોજન અનાસેવિત છે, તેનાથી છઠ્ઠા મૂળગુણની વિરાધના થાય છે, અતઃ રાત્રિભોજન ન કરવું જોઈએ.’” (૧) દશવૈકાલિકસૂત્ર અધ્યયન–૩માં રાત્રિ ભોજનને અનાચરણીય કહેલ છે. (૨) દશવૈકાલિક અધ્યયન–૬માં રાત્રિભોજન કરવાથી નિગ્રંથ અવસ્થામાંથી ભ્રષ્ટ થવાનું કહેલ છે તથા રાત્રિભોજનના દોષોનું કથન પણ કરેલ છે. (૩) દશવૈકાલિક અધ્યયન–૪માં પાંચ મહાવ્રત સાથે રાત્રિભોજન વિરમણને છઠ્ઠું વ્રત કહેલ છે. (૪) દશવૈકાલિક અધ્યયન–૮માં સૂર્યાસ્તથી સૂર્યોદય સુધી અર્થાત્ રાત્રે આહારની મનથી પણ ઇચ્છા કરવાનો નિષેધ છે. (૫) ઉત્તરાધ્યયન અધ્યયન-૧૯, ગાથા-૩૧માં – સંયમની દુષ્કરતાના વર્ણનમાં ચારેય પ્રકારના આહારનું રાત્રિએ વર્જન કરવું અતિ દુષ્કર કહેલ છે. (૬) બૃહત્કલ્પ ઉદ્દેશક–૧માં રાત્રે કે વિકાલ(સંધ્યા)ના સમયે ચારેય પ્રકારના આહાર ગ્રહણ કરવાનો નિષેધ છે. (૭) બૃહત્કલ્પ ઉદ્દેશક—પમાં કહેવામાં આવેલ છે કે આહાર કરતી વખતે ખ્યાલ આવી જાય કે સૂર્યોદય થયો નથી કે સૂર્યાસ્ત થઈ ગયેલ છે તો મોઢામાં રહેલ આહાર પણ કાઢીને પરઠી દેવો જોઈએ અને ત્યાં તેને ખાવાનું પ્રાયશ્ચિત્ત કહેલ છે તથા રાત્રે આહાર–પાણી યુક્ત ' 'ઓડકાર' આવી જાય તો પણ તેને ગળી જવાનું (ગળામાં ઉતારી જવાનું) પ્રાયશ્ચિત્ત કહેલ છે. (૮)દશાશ્રુતસ્કંધ સૂત્ર દશા–ર તથા સમવાયાંગ સૂત્ર સમવાય–૨૧માં – રાત્રિભોજન કરવાને સબળ દોષ કહેલ છે. (૯) બૃહત્કલ્પ ઉદ્દેશક–૪માં– રાત્રિભોજનનું ગુરુ પ્રાયશ્ચિત્ત કહ્યું છે. (૧૦) ઠાણાંગ અધ્યયન-૩ તથા પમાં– રાત્રિભોજનનું ગુરુ પ્રાયશ્ચિત્ત કહ્યું છે. (૧૧) સૂયગડાંગ સૂત્ર થ્રુ.-૧, અ.-૨, ઉ.-૩માં રાત્રિભોજન ત્યાગ સહિત પાંચ મહાવ્રત પરમ રત્ન કહેવામાં આવેલ છે, જેને સાધુ ધારણ કરે છે. આ પ્રકારે અહીં મહાવ્રત તુલ્ય રાત્રિભોજન વિરમણનું મહત્વ કહેવામાં આવ્યું છે. (૧૨) સૂયગડાંગ સૂત્ર અધ્ય.-૬ માં કહેવામાં આવેલ છે કે ભગવાન મહાવીર સ્વામી એ તપ માટે અને દુઃખોનો નાશ કરવા માટે રાત્રિભોજનનો ત્યાગ કર્યો હતો. (૧૩) ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન-૩૨માં રાત્રિભોજનના ત્યાગથી જીવનો આશ્રવ ઘટવો તેમજ અનાશ્રવ થવો કહેલ છે. (૧૪) નિશીથ સૂત્ર ઉદ્દેશક-૧૧માં– રાત્રિભોજન કરવાનું તેમજ તેની પ્રશંસા કરવાનું ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત કહેલ છે. (૧૫) દશાશ્રુતસ્કંધ સૂત્ર દશા-૬માં શ્રાવકને છઠ્ઠી પડિમા ધારણ કરવામાં રાત્રિ ભોજનનો પૂર્ણ ત્યાગ કરવાનું આવશ્યક કહ્યું છે. તેની પૂર્વ અવસ્થાઓમાં પણ શ્રાવકે રાત્રિભોજનનો ત્યાગ કરવો જોઈએ પરંતુ ત્યાં સુધી ઐચ્છિક છે અને છઠ્ઠી પ્રતિમાથી લઈ અગ્યારમી પ્રતિમા સુધી રાત્રિભોજનનો ત્યાગ કરવો જરૂરી છે. અન્ય ગ્રંથોમાં ઃ– (૧) કાર્તિકેયાનુપ્રેક્ષા ૩૮૩માં– રાત્રિભોજન ત્યાગને ૬ મહિનાના ઉપવાસ તુલ્ય બતાવવામાં આવેલ છે.(વર્ષનો અડધો સમય તપમાં પસાર થાય એ હિસાબથી.) (૨) મહાભારતના શાન્તિપર્વમાં– નરકમાં જવાના ચાર બોલ કહેલ છે, જેમાં પ્રથમ બોલથી રાત્રિભોજનને નરકમાં જવાનું કારણ કહેલ છે બાકીના ત્રણ કારણોમાં નરક ગમનના આ કારણો છે– ૧. પ૨ સ્ત્રી ગમન ૨. મદિરા,દારુ આદી ૩. કંદમૂળ ભક્ષણ.(આગમમાં ચાર કારણ જુદા છે.) (૩) વેદવ્યાસના યોગશાસ્ત્ર અ—૩માં કહેવામાં આવેલ છે કે રાત્રે ખાનાર મનુષ્ય ઘુવડ, કાગડો, ગીધ, સૂકર, સર્પ અને વીંછી આદિ યોનિમાં જન્મ ધારણ કરે છે. (૪) મનુસ્મૃતિમાં કહેવામાં આવેલ છે કે રાત્રિ રાક્ષસી હોય છે તેથી રાત્રે શ્રાદ્ધ કરવું જોઈએ નહિ. (૫) યોગશાસ્ત્ર અ–૩માં કહેવામાં આવેલ છે કે— નિત્ય રાત્રિભોજન ત્યાગ કરવાથી અગ્નિહોત્રનું ફળ મળે છે તેમજ તીર્થ યાત્રાનું ફળ મળે છે. આહુતિ, સ્નાન, દેવતા પૂજન, દાન, શ્રાદ્ધ તેમજ ભોજન રાત્રિએ કરવામાં આવતા નથી. કીટ, પતંગ આદિ અનેક સત્ત્વોનું ઘાતક આ રાત્રિભોજન અતિ નિંદિત છે. (૬) માર્કંડેય મુનિએ તો રાત્રે પાણી પીવું લોહી સમાન અને ખાવું માંસ સમાન કહી દીધેલ છે.

Loading...

Page Navigation
1 ... 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305