Book Title: Kathasar
Author(s): Jain Yuth Foram
Publisher: Jain Yuth Foram

View full book text
Previous | Next

Page 248
________________ jain 247 કથાસાર દ્વાર ખોલીને સેનાપતિ ભરત ચક્રવર્તી પાસે આવ્યો. જય વિજયના શબ્દોથી વધાવ્યા એવં દ્વાર ખોલી દીધાનું નિવેદન કર્યું. ત્યારે ભરત ચક્રવર્તીનું ચક્રરત્ન આયુધશાળાથી નીકળીને આકાશમાં ચાલવા લાગ્યું. ભરત ચક્રવર્તી પોતાના હસ્તિરત્ન પર આરૂઢ થયા. હાથીના મસ્તક પર જમણી બાજુ મણિરત્ન (ગુફામાં પ્રકાશ કરનાર) બાંધી દીધો. પછી ચક્ર નિર્દિષ્ટ માર્ગથી રાજા ચાલતા ગુફાની પાસે પહોંચ્યા અને દક્ષિણી દ્વારથી ગુફામાં પ્રવેશ કર્યો. તમિસા નામક ગુફા સઘન અંધકારમય હતી. કારણ કે તે ૫૦ યોજન લાંબી હતી. અતઃ ચક્રવર્તીએ સ્થાયી પ્રકાશ માટે કાંગણિ રત્ન હાથમાં લીધું અને એના દ્વારા પ્રત્યેક યોજનના અંતરે ગુફાની બન્ને બાજુની ભીંતો પર કુલ ૪૯ મંડલ બનાવ્યા. તે મંડલ ચક્રની ધરીના આકારથી પ્રતિપૂર્ણ ચંદ્રના આકારવાળા ૫૦૦ ધનુષની લંબાઈ પહોળાઈ એવં સાધિક ત્રણ ગણી પરિધિવાળા બનાવ્યા હતા. બંગડીના જેવા વલયાકાર બનાવેલ ન હતા. પ્રત્યેક મંડલ ગુફાના એક યોજન ક્ષેત્રને પ્રકાશિત કરે છે. અર્થાત્ અર્ધી-અર્ધા યોજના બન્ને બાજુ અને ઉપર આઠ યોજન તથા સામે ૧૨ યોજન આ મંડલ પ્રકાશ ફેલાવે છે. પહેલું મંડલ દ્વાર પર પ્રવેશ મુખથી એક યોજન દૂર, બીજું કારની પાછળ એને રોકવાવાળા તોડક પર, અર્થાત્ દ્વારની આલંબન ભીંત પર, ત્રીજા મંડલ ત્રીજા યોજનાની સમાપ્તિ પર, ચોથું મંડલ ચોથા યોજનાની સમાપ્તિ પર ગુફાની એક ભીંત પર, પાંચમં મંડલ પાંચમા યોજનની સમાપ્તિ પર બીજી ભીંત પર એમ ક્રમશઃ છઠ્ઠ પ્રથમ ભીંત પર, સાતમે બીજી ભીંત પર, આ પ્રકારે ૮, ૧૦, ૧૨, ૧૪,........૪૨, ૪૪, ૪૬મું મંડલ પ્રથમ ભીંત પર એવં ૯, ૧૧, ૧૩, ૧૫,.........૪૧, ૪૩, ૪૫ મું મંડલ બીજી ભીંત પર બનાવ્યું. ૪૭ અને ૪૮મું ઉત્તર દિશાના દરવાજાના બન્ને તોડક પર એક એક બનાવ્યા. પછી ૪૯ મું મંડલ ઉત્તરી દ્વારના બન્ને વિભાગના ખુલી જવાથી એક વિભાગ પર બનાવ્યું. તમિસા ગુફામાં ૨૧ યોજન ચાલ્યા પછી ત્રણ યોજનની પહોળાઈ(પાટ) વાળી મિગ જલા નદી પાસે પહોંચ્યા. ભરત ચક્રવર્તીની આજ્ઞાથી વાર્દિક રત્ન(શ્રેષ્ઠ શિલ્પી)એ તે નદી પર પુલ બનાવી દીધો. જે અનેક સ્તંભો પર સ્થિત ઉપર બન્ને બાજુ ભત યુક્ત હતો. જે યથાયોગ્ય પહોળો એવં ત્રણ યોજન લાંબો હતો. પુલ બન્યા પછી એ ઉમગજલા નદીને પાર કરી ચક્રવર્તી આગળ વધ્યા. બે યોજન ચાલ્યા બાદ ફરી ત્રણ યોજનાના વિસ્તારની નિમગજલા નદી પાસે પહોંચ્યા. એજ પ્રકારે પુલ બનાવવામાં આવ્યો અને બીજી નદી પણ પાર કરી. આ બન્ને નદિઓ પૂર્વી ભીંતમાંથી પ્રવાહિત થાય છે અને પશ્ચિમી ભીતના નીચે ચાલવાવાળી સિંધુ નદીમાં સમાવિષ્ટ થઈ જાય છે. ઉમગજલા નદીમાં કોઈ પણ પદાર્થ યા જીવ પડી જાય તો એને તે ત્રણવાર ઘુમાવીને બહાર એકાંતમાં ફેંકી દે છે અને નિમગજલા નદી ત્રણ વાર ઘુમાવીને અંદર નીચે પાણીમાં સમાવિષ્ટ કરી દે છે. આ કારણે બન્નેના નામ સાર્થક છે. આ બન્ને નદિઓએ મળીને ૭+૩+૨ કુલ આઠ યોજના ક્ષેત્રનું અવગાહન કર્યું છે. આ નદિઓના સ્થાન પર ચક્રવર્તી ગુફાની ભીંત પર વૈક્રિયથી મંડલ કરી શકે અથવા પુલની ભીંત પર પણ કરી શકે છે. સૂત્રમાં આનો સ્પષ્ટ ઉલ્લેખ નથી. બન્ને નદિઓને પાર કરી ભરત ચક્રવર્તી સેના સહિત ગુફાના ઉત્તરી દ્વાર તરફ આગળ વધ્યા ગુફાનું ઉત્તરી દ્વારા સ્વતઃ ખુલી ગયું અને ચક્રવર્તીના અગ્ર વિભાગની સેના ગુફામાંથી બહાર નીકળવા લાગી. ત્યારે એ ક્ષેત્રના(ચોથા ખંડના) શ્લેચ્છ અનાર્ય આપાત કિરાત જાતિના મનુષ્યોએ યુદ્ધ કરીને સામનો કર્યો અને ચક્રવર્તીની અગ્રિમ ભાગની સેનાને પરાસ્ત કરી દીધી. પછી સુષેણ સેનાપતિ અશ્વરત્ન પર આરૂઢ થઈને અસિરત્ન લઈને યુદ્ધ ભૂમિમાં ઉતર્યા, આપાત કિરાતોની હાર થઈ. તે અનેક યોજન દૂર ભાગી ગયા અને જઈને પરસ્પર ભેગા થઈને તેઓએ સિંધુ નદીની વાળુ રેતીમાં મેઘમુખ નામક નાગકુમાર જાતિના કુલ દેવતાનું સ્મરણ કરી અટ્ટમની આરાધના કરી. દેવનું આસન ચલાયમાન થયું. દેવ આવ્યા એવં એમના આગ્રહથી ૭ દિવસની ઘોર વૃષ્ટિ ચક્રવર્તીની સેના પર કરી. ચક્રવતીએ ચર્મરત્નથી નાવા અને છત્ર રત્નથી છત્ર કરીને સંપૂર્ણ સૈન્યની સુરક્ષા કરી. સાત દિવસ બાદ ભરત રાજાને ઉપદ્રવની આશંકા થઈ, ત્યારે એમના ચિંતનથી ૧૬૦૦૦ દેવ સાવધાન થયા અને જાણકારી કરી; તે મેઘમુખ નાગકુમાર દેવોને ત્યાંથી ભગાડી દીધા, ઉપદ્રવ સમાપ્ત થયો. પોતાના કુલ દેવતા મેઘમુખ નાગકુમારોના કહેવા પર તે કિરાતોએ ભરત ચક્રવર્તીનું આધિપત્ય સ્વીકાર કર્યું. સત્કાર, સમ્માન કર્યા તથા ક્ષમા માંગી. ભરત ચક્રવર્તીએ ગુફાની બહાર નીકળીને યથાસ્થાન પડાવ નાખ્યો અને સેનાપતિ ને ઉત્તરી ભરતક્ષેત્રના સિંધુ નિખુંટને જીતવા માટે મોકલ્યો. દક્ષિણી ભરતના સિંધુ નિષ્ફટની વિજય યાત્રાની સમાન અહીં પણ સંપૂર્ણ વર્ણન જાણવું. વિજય યાત્રા પછી થોડો સમય ત્યાં વિશ્રામ કર્યો. પછી યથાસમય ચક્રરત્ન રવાના થયું. ભરત રાજા ઉત્તરી ભરતક્ષેત્રના મધ્ય ખંડમાં વિજય પતાકા ફરકાવીને ચુલ્લ હિમવંત પર્વતના મધ્યભાગમાં તળેટીમાં પહોંચ્યા. ત્યાં ચક્રવર્તીએ અઠ્ઠમ કરીને ચુલ્લ હિમવંતકુમાર દેવના ભવનમાં માગધ તીર્થની સમાન જ નામાંકિત બાણ ફેંક્યું. જે ચુલ્લ હિમવંત પર્વતના શિખર તલ પર રહેલા ભવનમાં પહોંચી ગયું. દેવનું વર્ણન માગધ તીર્થાધિપતિ દેવની સમાન જાણવું યાવત્ એણે કહ્યું કે હું આપનો સીમાવર્તી દેવ છું, દાસ છું. રાજાએ એને પણ સમ્માનિત કરી વિદાય કર્યો. પછી ભરત ચક્રવર્તી ત્યાં નિકટવર્તી ઋષભકૂટ પર પહોંચ્યા. જ્યાં બધા ચક્રવર્તી પોતાના નામ લખતા હોય છે. એ પરંપરા અનુસાર ભરત ચક્રવર્તીએ પણ કાંગણી રત્ન દ્વારા પોતાનું નામ એવં પરિચય લખ્યા કે "હું ભરત ક્ષેત્રના અવસર્પિણીના ત્રીજા આરાનો પ્રથમ ચક્રવર્તી રાજા ભરત છું. મેં ભરતક્ષેત્રને જીતી લીધું છે. કોઈ પણ મારો પ્રતિશત્રુ નથી." ત્યાર બાદ અટ્ટમનું પારણું કર્યું. ચક્ર રત્નના પ્રસ્થાન કરવા પર રાજા સેના સહિત દક્ષિણ દિશામાં આગળ વધ્યા. ઉત્તર ભારતના અનેક ક્ષેત્રો પર પોતાનું આધિપત્ય કરતા થકા વૈતાઢય પર્વત પાસે પહોંચ્યા. ત્યાં નમિ વિનમિ નામક વિધાધરોના પ્રમુખ રાજાઓનું સ્મરણ કરીને અટ્ટમ કર્યો. વિદ્યાધર રાજાઓને અંગ ફુરણ અને મતિજ્ઞાનનો ઉપયોગ લગાવતા સ્થિતિનો આભાસ થઈ ગયો. બન્ને બાજુની વિધાધર શ્રેણીના બન્ને પ્રમુખ રાજા પરસ્પર મંત્રણા કરીને ભરત ચક્રવર્તીની સેવામાં ભેંટણા લઈને પહોંચ્યા. જેમાં વિનમિ રાજા સ્ત્રી રત્ન લઈને ઉપસ્થિત થયા. ચક્રવર્તીએ પૂર્વોક્ત વિધિ અનુસાર એમને વિસર્જિત કર્યા. તદઅંતર ચક્રરત્ન ગંગાનદીની ગંગા દેવીના ભવન તરફ ઉત્તર પૂર્વમાં ચાલ્યું. સિંધુ દેવીના સમાન અહીં ગંગા દેવીનું વર્ણન જાણવું.

Loading...

Page Navigation
1 ... 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305