Book Title: Kathasar
Author(s): Jain Yuth Foram
Publisher: Jain Yuth Foram

View full book text
Previous | Next

Page 138
________________ 137 jain કથાસાર આગમાં પર થયા છે. એનામાં જ કરેલ આ પણ એક વિકૃતિ છે. આનું શુધ્ધીકરણ ન કરવું, માનો ‘લકરના ફકીર બનવું' ની ઉક્તિને ચરિતાર્થ કરવા સમાન જ છે. (૧૩) ચોથા આરામાં અર્થાત્ સતયુગમાં તીર્થકરોની ઉપસ્થિતિમાં આવી ઘટનાઓ થવા પર પણ ધર્મનિષ્ટ લોકો પોતાની શ્રદ્ધા ટકાવી રાખે છે. ધર્મથી વિચલિત થતા નથી. તો આજ પંચમ કાળમાં જ્ઞાનીઓની અનુપસ્થિતિમાં કોઈ ઘટનાને જોઈને આપણે કોઈની પાછળ પોતાની શ્રદ્ધા, આચરણ, ત્યાગ તપ વગેરે જરા પણ ન છોડવા જોઈએ અને ક્યારે ય (કિં કર્તવ્ય) વિમૂઢ ન બનવું જોઈએ. આ સંસાર છે, આનામાં કોઈ કેટલીય હોનારત થતી જ રહે છે. તેમાં આપણે પડતાં નહીં, પરંતુ ચડતાં જ શીખવું જોઈએ. (૧૪) સોગંદ, શપથ દેવાની વ્યવહારિક પ્રથા પણ પ્રાચીન કાળથી ચાલી આવી રહી છે. ગોશાલકે પણ મૃત્યુ સમયે પોતાના શિષ્યોને સોગંદ દઈને આદેશ આપ્યો હતો. જેનું એમણે દંભની સાથે પાલન કર્યું હતું, સાચા રૂપમાં પાલન નહોતું કર્યું. (૧૫) ગોશાલકના નિમિત્તજ્ઞાન, મનની વાતને જાણીને બતાવવાની ક્ષમતાથી અને આડંબરના માધ્યમે જ એનો શિષ્ય પરિવાર ત્યાં સુધી કે ૨૩ માં તીર્થકરના શાસનના અનેક સાધુ પણ એને ૨૪ માં તીર્થકર જ સમજીને એના શાસનમાં ભળી ગયાં હતાં. | (૧૬) સંક્ષિપ્ત સારાંશનું લક્ષ્ય હોવાથી અનેક વિસ્તૃત વર્ણનો આપ્યા નથી. એના માટે સૂત્રવર્ણનથી જાણવું જોઈએ. જેમ કે– ૮ ચરમ, પાનક, અપાનક ગોશાલક ના શરીર પરિવર્તન અને વિવિધ પ્રરુપણા વગેરે. (૧૭) ગોશાલક ભગવાન ની પાસે છઘર્થીકાળના બીજા ચોમાસામાં આવ્યો હતો અને ક્યાં સુધી રહ્યો એ વર્ણન અહીં સૂત્રમાં નથી. અન્યત્ર દીક્ષાના છઠ્ઠા વર્ષ સુધી સાથે રહ્યાનું કથન મળે છે. (૧૮) ગૌતમ સ્વામીના પૂછવા પર ભગવાને ગોશાલકના ભૂત, ભવિષ્ય અંગે વર્ણન બતાવ્યું હતું અને વર્તમાન ધટના ને તો ઉપસ્થિત શ્રમણોએ પ્રત્યક્ષ જોઈ હતી. ભૂતકાળના છઘસ્થ કાળની ઘટનાનું વર્ણન કરતાં ભગવાને અનેક જગ્યાએ અહં શબ્દના પ્રયોગથી કથન કર્યું છે. વૈશ્યાયન તપસ્વીની તેજો વેશ્યાથી ગોશાલક ને બચાવવાના વર્ણનમાં પણ ભગવાને ગૌતમસ્વામીને સ્પષ્ટ કહ્યું હતું કે હે ગૌતમ! ત્યારે "મેં" ગોશાલક મંખલી પુત્રની અનુકંપા માટે શીત લેશ્યાથી તેજો લેશ્યાનું પ્રતિહનન કર્યું અને આગળના વર્ણનમાં ગોશાલકના પૂછવા પર એને પણ આ શબ્દો માં કહ્યું હતું કે ત્યારે હે ગોશાલક! "મેં" તારા પ્રત્યેની અનુકંપાને કારણે વૈશ્યાયન બાળ તપસ્વીની તેજોલેશ્યાને વચ્ચેથી પ્રતિહત કરી, રોકી દીધી, આમ આવું કથન પણ ભગવાને કેવલી અવસ્થામાં બે વખત કર્યું. પરંતુ ક્યાંય એમ નથી કહ્યું કે "મેં ગોશાલકને છઘસ્થતાની ભૂલથી મોહવશ બચાવ્યો". અનુકંપા સંબંધી વિશેષ વિવરણ માટે આગમસાર–પૂર્વાર્ધનાં પરિષ્ટ માં જોવું જોઈએ. (૧૯) ભગવાન અને ગોશાલકની વચ્ચે થયેલા કેટલાય વ્યવહારોથી તર્કશીલ માનસમાં કેટલાય મૂંઝવણ ભર્યા પ્રશ્ન ઉભા થાય છે કે– (૧) ચાર જ્ઞાન સંપન્ન ભગવાને એને પોતાની સાથે રાખ્યો જ શા માટે? (૨) તલ સંબંધી પ્રશ્નોના ઉત્તર જ કેમ દીધા? જેનાથી વિરાધના થઈ. (૩) સ્વતઃ પોતાના જ કર્તવ્યથી તે ગોશાલક વૈશ્યાયન બાળ તપસ્વીની તેજોલેશ્યાથી મરી રહ્યો હતો, એને ભગવાને શીત લેશ્યાથી શા માટે બચાવ્યો? સુનક્ષત્ર અને સર્વાનુભૂતિ અણગારને પ્રભુએ બચાવ્યા નથી તો તેમાં ભગવાનને કયો દોષ લાગ્યો? ઉત્તર- કાંઈપણ દોષ ન લાગ્યો. તેમજ ગોશાલકને ન બચાવત તોપણ ભગવાનને કોઈ દોષ લાગત નહીં. તેને બચાવવાથી તો તે જીવિત રહ્યો અને પોતે જ ૨૪મો તીર્થકર હોવાનું કહી, કેટલાય લોકોને ભ્રમિત કર્યા, મહા પાપ કર્યા. જેમ સુમંગલ અણગાર વિમલવાહનને ભસ્મ કરશે જ અને અણુત્તર વિમાનમાં જાશે, તેવી રીતે જ ભગવાનના કોઈ લબ્ધિધારી શ્રમણ ગોશાલકને પહેલાં જ કાંઈપણ શિક્ષા આપી શકતા હતા. તો સમવસરણમાં આવો પ્રસંગ બનતો જ નહીં. અનેક ઈન્દ્ર વગેરે પણ ગોશાલકના અવળા પ્રચારને રોકી ન શક્યા, એવું કેમ થયું? કેમ કે બધા ઈન્દ્ર સમ્યગુદષ્ટિ છે, દઢધર્મી પ્રિયધર્મી છે. એક ભવ કરીને મોક્ષમાં જનારા છે; વગેરે વગેરે પ્રશ્નો થાય છે. તે અનેક પ્રશ્નોનું સમાધાન આ છે કે ભગવાન અને ગોશાલકનો કોઈ એવો જ સંયોગ નિબદ્ધ હતો. વિશિષ્ટ જ્ઞાનિઓના આચરણ વિષયે છઘસ્થોએ સંકલ્પ-વિકલ્પ કરવા જ ન જોઈએ. કેમકે તે શાશ્વત જ્ઞાની ભવિતવ્યતાને જોઈ લે છે, ભૂત–ભવિષ્યને જાણીને તેને અનુરૂપ આચરણ કરે છે. તેથી સુમંગલ અણગારે પણ પહેલાં જ્ઞાનથી એ જોયું કે આ રાજા આવો દુર્વ્યવહાર કેમ કરી રહ્યો છે. એનું ભૂત-ભવિષ્ય શું છે ? આ જ રીતે ભગવાને એવંતાને દીક્ષા આપી, ભલે ને તેણે કાચા પાણીમાં પાત્રી તરાવી. જમાલીને દીક્ષા તો આપી દીધી, પરંતુ વિચરણની આજ્ઞા માંગવા પર મૌન ધારણ કર્યું. ભગવાને જ્ઞાનમાં ફરસના જોઈને જ તે પ્રકારની પ્રવૃતિઓ કરી હતી. છાસ્થોના તર્ક ની અહી ગતિ હોતી નથી. આથી આવા–આવા વિવિધ પ્રશ્નો આપણા અનધિકાર ગત છે. નિશ્ચય જ્ઞાનીયોના પ્રત્યેક વ્યવહાર જ્ઞાનસાપેક્ષ હોય છે અને આપણા છઘસ્થોના વ્યવહાર બુદ્ધિ સાપેક્ષ હોય છે તેમજ સૂત્ર સાપેક્ષ પણ હોય છે. આ ભિન્નતા જાણીને જ્ઞાનિયોના જ્ઞાન સાપેક્ષ આચરણ સબંધી ઉપરના પ્રશ્નોના અથવા આવા અન્ય પણ ઘણા પ્રશ્નોના સમાધાન સ્વતઃ કરી લેવા જોઈએ. | (૨૦)ભગવાન પાર્શ્વનાથ ના વિશિષ્ટ શિષ્યોને અહીં દિશાચર શબ્દથી સંબોધ્યા છે. તે પૂર્વેના જ્ઞાતા હતા, એમણે જીવનમાં દિશાની પ્રમુખતાથી કોઈ વિશિષ્ટ તપ, ધ્યાન અથવા વિહારચર્યાનું આચરણ કર્યું હશે. જેનાથી તે દિશાચરના નામથી વિખ્યાત થયા. એમના આગમનથી ગોશાલકની શક્તિમાં વિશેષ અભિવૃદ્ધિ થઈ. એવો સૂત્ર વર્ણનથી આભાષ થાય છે. આ રીતે તેઓ કોઈ વિશિષ્ટ ચમત્કારી જ્ઞાની અને લબ્ધિ સંપન્ન શ્રમણ હતા. અર્થ કરનારા કેટલાય વિદ્વાન એમને ભગવાન મહાવીરના શિથિલાચારી પાર્શ્વસ્થ શ્રમણ કહી દે છે. એમના આ કથન અનુપયુક્ત અને અસંગત છે. (૨૧)મંખમતના ભિક્ષાચર લોકો પણ ચાતુર્માસમાં ભ્રમણ કરતા નથી અને ભિક્ષાચર હોવા છતાં પણ સપત્ની ભ્રમણ કરતા હતા તથા ચિત્ર ફલક દેખાડીને ભિક્ષા પ્રાપ્ત કરતા હતા.

Loading...

Page Navigation
1 ... 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305