Book Title: Kathasar
Author(s): Jain Yuth Foram
Publisher: Jain Yuth Foram

View full book text
Previous | Next

Page 191
________________ આગમ-કથાઓ 190 આવી રીતે સંયમ સાધકના વિષયમાં પણ આદર્શ ગુણો માટે સમજી લેવું જોઈએ. સાધુને રર પરીષહ જીતવાની ધ્રુવ આજ્ઞા, આદર્શ પ્રેરણા છે. છતાં પણ રોગ પરિષહ સહન ન થવાથી, ઔષધ ઉપચાર કરવા અને કરાવનારાને શાસ્ત્રમાં અસાધુ મનાયા નથી. ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ર માં ઔષધ ઉપચાર ન લેવામાં જ સાચું સાધુપણું કહ્યું છે, તો પણ આ આદર્શ શિક્ષા વાક્ય છે. તેને એકાંતમાં લેવાતું નથી. જે ઔષધ ઉપચારનું સેવન કરે તેનું સાધુપણું સાચું નથી, એમ પણ કહી શકાતું નથી. મેલ પરીષહ જીવન પર્યત સહન કરવાનો સૂત્રમાં આદેશ હોવા છતાં પણ પ્રક્ષાલન પ્રવૃત્તિ કરનારાને બકુશ નિગ્રંથ દરજ્જામાં ભગવતી સૂત્રમાં માનવામાં આવ્યા છે અને દશવૈકાલિક અધ્યયન-૪ માં પ્રક્ષાલન પ્રવૃત્તિમાં પડનારાની સતિ થવી જ દુર્લભ-કઠણ બતાવી છે. આવી રીતે આગમ વાક્યોને અપેક્ષા સાથે સમજવા જોઈએ, એકાંતિક સમજવા ન જોઈએ. પ્રશ્ન:- ૧૦મા વ્રત અને ૧૧મા વ્રતમાં શું અંતર છે? અને ૧૦માનું પૌષધ અને ૧૧માનું પૌષધ શું છે ? જવાબ:- પૌષધનું વ્રત ૧૧મું છે. તેમાં ૧૦માં ને ૧૧મા એમ બે ભેદ કરવા આગમ સાપેક્ષ નથી. બધા પ્રકારના પૌષધ ૧૧મા વ્રતમાં જ સમજવા જોઈએ. કારણ કે પૌષધનું વ્રત એક જ છે, ૧૧મું જ છે. કોઈપણ વ્રત જઘન્ય, મધ્યમ ઉત્કૃષ્ટ રીતે ધારણ કરી શકાય છે. પરંતુ તેને તે વ્રતમાં જ ગણાશે, અન્ય વ્રતમાં નહીં. એવી રીતે ૧૮ પાપોના ત્યાગ રૂપ સંવર પ્રવૃત્તિના હીનાધિક થવા પર; આહાર ત્યાગ અથવા આહાર સેવન થવા પર પણ અથવા ૨૪ કલાકના ૨૦ અથવા ૧૬ કલાક થવા પર પણ તે સંવર પ્રવૃત્તિ(સાવધ ત્યાગ પ્રવૃત્તિ)ને ૧૧મા વ્રતથી ઉતારીને ૧૦માં વ્રતમાં નાંખવું અથવા ૧૦મું પૌષધ વ્રત નામ દેવું અથવા નામકરણ કરવું બરાબર નથી અને આગમ સંમત પણ નથી. વિશેષ વિચારણા માટે ભગવતી સૂત્રના શંખ પુષ્કલી શ્રાવકના પ્રકરણનો, સારાંશનું અધ્યયન કરવું જોઈએ. ત્યાં ભગવાનના પ્રમુખ શ્રાવકોનો આહાર યુક્ત પૌષધ ૧૧મા વ્રતમાં ગણવામાં આવ્યો છે. કારણ કે પાણીનો પરિપૂર્ણ પૌષધ કરવાનો તે શ્રાવકોનો આજીવન નિયમ હતો. પ્રશ્ન :- પૌષધમાં સામાયિક પણ લઈ શકાય છે? જવાબ:- પૌષધનું જ સ્વતઃ અપ્રમત્ત ભાવથી આચરણ થાય છે. તેમાં રાત દિવસ આત્માને ધર્મ જાગરણમાં જોડી શકાય છે. પરંતુ પ્રવાહરૂપમાં સામાન્ય સાધકોને વ્યર્થ પ્રમાદ પ્રવૃત્તિથી બચાવવા માટે સામાયિકની પ્રેરણાની પ્રવૃતિ છે. આ નિમિત્તથી સાધક આળસ કે પ્રમાદ કરશે નહીં. આ પૌષધના સ્વરૂપને ન સમજનાર અથવા ભૂલનાર સામાન્ય સાધકોને સામાયિકના મહત્ત્વ વડે પ્રમાદથી અટકાવવાનો એક ઉપાય છે. વાસ્તવમાં તો પૌષધનું મહત્ત્વ સામાયિકથી પણ અધિક અપ્રમત્તતાનું છે. છતાં પણ સામાન્ય પ્રવાહની સાથે બધાને ચાલવામાં એકરૂપતા રહે એટલે સામાયિક ધ્યે તો કોઈ નુકસાન સમજવું જોઈએ નહીં અને સામાયિક લેવી અથવા ન લેવાનો એકાંતિક આગ્રહ પણ ન કરવો જોઈએ. આ હાનિ લાભના વિચારથી સામાન્ય સાધકોની અપેક્ષાએ ચલાવવામાં આવેલી પ્રવૃત્તિ છે, એવું સમજી લેવું જોઈએ. પ્રશ્ન:- પ્રતિક્રમણમાં સામાયિક કરવી આવશ્યક છે ? જવાબ :- સામાન્યતયા સામાયિક યુક્ત જ પ્રતિક્રમણ કરવું આગમ આશયયુક્ત છે. વિશેષ પરિસ્થિતિમાં સામાયિક વિના પણ પ્રતિક્રમણ કરી લેવું જોઈએ. અથૉત્ સામાયિક કરવા જેટલો સમય અથવા પ્રસંગ ન હોય તો. પ્રશ્ન:- ૧ર વ્રતધારી શ્રાવકોએ જ પ્રતિક્રમણ કરવું જોઈએ? જવાબ:- એક વ્રતધારી અથવા ૧૨ વ્રતધારી કોઈપણ શ્રાવકને પ્રતિક્રમણ કરવામાં કોઈ વાંધો નથી. હા! ૧૨ વ્રતધારીને યથા સમય પ્રતિક્રમણ કરવું આવશ્યક હોય છે. પ્રતિક્રમણના સ્વરૂપનું જ્ઞાન કરાવતાં કરાવતાં તેની વ્યાખ્યામાં ત્રણ વૈદ્યોનું દષ્ટાંત આપવામાં આવ્યું છે– ૧. પ્રથમ વૈદ્યની દવા-રોગ હોય તો સારું કરે નહીંતર નવો રોગ ઉભો કરે. ૨. બીજા વૈદ્યની દવા–રોગ હોય તો સારું. કરે નહીંતર કંઈ ન કરે. ૩. ત્રીજા વૈધની દવા–રોગ હોય તો સારું કરે નહીંતર શરીરને પુષ્ટ કરે. પ્રતિક્રમણને ત્રીજા વૈદ્યની દવાની સમાન બતાવ્યું છે. એટલે વ્રત હોય અથવા વ્રત ન હોય, અતિચાર લાગ્યા હોય અથવા ન લાગ્યા હોય પ્રતિક્રમણ કરવામાં સાંભળવામાં લાભ જ છે, હાનિ નથી. એક વાત બીજી પણ ધ્યાનમાં રાખવાની છે. જે શ્રાવકે જે હોંશથી ત્યાગ પ્રત્યાખ્યાન લીધા છે તેણે નાના મોટા બધા નિયમોની એક યાદી બનાવીને રાખવી જોઈએ અને તેને યોગ્ય સમય પર્વ દિવસોમાં ચિંતનપૂર્વક અવલોકન કરવું જોઈએ કે મારા આ બધા વ્રત પચ્ચખાણનું શુદ્ધ પાલન થઈ રહ્યું છે? જો સંભવ હોય તો પ્રતિક્રમણના સમયે કાઉસ્સગ્નમાં પણ તેનું સ્મરણ અવલોકન કરી શકાય છે. બૃહ આલોયણાની સાથે તેનું પણ વાંચન પર્વ દિવસોમાં અવશ્ય કરવું જોઈએ. પ્રશ્ન:- પ્રતિક્રમણ શું છે? જવાબ:- પ્રતિક્રમણ, એ વ્રત શુદ્ધિની, સ્વદોષ દર્શનની, દોષાવલોકનથી ભાવ વિશુદ્ધિની અને સમભાવ વૃદ્ધિકરણની પ્રક્રિયા છે; આત્માને વ્રતોના સંસ્કારથી ભાવિત કરવાની પ્રક્રિયા છે. છદ્મસ્થ અવસ્થામાં સૂમ, સ્થૂલ ભૂલ થવી શક્ય છે. તેના પરિમાર્જન અવલોકનની આ પ્રશસ્ત પ્રક્રિયા છે. એવા પ્રતિક્રમણ કરનારાની સાથે બેસીને ધ્યાનપૂર્વક સાંભળવું શ્રદ્ધાને અને વ્રતરુચિને વધારનારુ થાય છે. આ શ્રવણ, આત્માને સંસ્કારિત કરવાનું માધ્યમ પણ થઈ શકે છે. આનાથી વ્રત ધારણની પ્રેરણા પણ મળે છે. ક્યારેક કેટલાયનું સંક્ષિપ્ત રુચિથી કલ્યાણ થઈ જાય છે. જેમ કે– ભગવતી સૂત્રમાં “વરુણ નાગ નટુઆ' ના મિત્રનું દષ્ટાંત છે. તેણે મૃત્યુ સમયમાં એટલું જ કહ્યું કે મારા ધર્મી મિત્રે જે ધર્મ સ્વીકાર કર્યો છે, તેનો હું પણ સ્વીકાર કરું છું. એટલા માત્રથી તે અનંતર ભવથી (પછીના ભવથી) મુક્ત થવા યોગ્ય બની ગયો. એટલે કોઈપણ ધાર્મિક પ્રવૃત્તિને બેકાર અથવા વ્યર્થ છે; એમ કહેવું ન જોઈએ. કારણ કે ગમે તેવી નાની ધર્મ ક્રિયા પણ કોઈના જીવનમાં મહત્ત્વશીલ વળાંક દેનારી થઈ શકે છે. એટલે પ્રતિક્રમણ કરવું અથવા સાંભળવું લાભકારી જ સમજવું જોઈએ, વ્રતધારણ

Loading...

Page Navigation
1 ... 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305