Book Title: Karmgranth 6 Prashnottari Part 07 08
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 50
________________ પ્રશ્નોત્તરી ભાગ-૭ ઉદય પહેલા ગુણસ્થાનકના અંત સમય સુધી હોય છે. ઉદીરણા એક આવલિકા ન્યૂન સુધી હોય છે. ૨૧૦. સમ્યક્ત મોહનીયની ઉદય, ઉદીરણા કેટલા ગુણસ્થાનકમાં હોય? ઉ ૪ થી ૭ ગુણસ્થાનકમાં ઉદય હોય. ઉદીરણા એક આવલિકા ન્યૂન હોય છે. ૨૧૧. સંજવલન લોભની ઉદય, ઉદીરણા કેટલા ગુણસ્થાનકમાં હોય? 3 ઉદય ૧ થી ૧૦ ગુણસ્થાનક સુધી, ઉદીરણા એક આવલિકા ન્યૂન સુધી જાણાવી. ૨૧૨. ત્રણવેદની ઉદય, ઉદીરણા કયાં સુધી હોય? ૧ થી ૯ સુધી ઉદય અને નવમાંની એક આવલિકા ન્યૂન સુધી ઉદીરણા હોય છે. ઉ ૨૧૩. નરકાયુષ્ય, તિર્યંચાયુષ્ય, દેવાયુષ્યની ઉદય, ઉદીરણા ક્યાં સુધી હોય? ઉ પોત પોતાના ગુણસ્થાનક સુધી ઉદય, નરક, દેવ ૧ થી ૪, તિર્યંચાયુ ૧ થી પાંચ સુધી અને ઉદીરણા એક આવલિકા ન્યૂન જાણવી. ૨૧૪. મનુષ્યાયુષ્યની ઉદય, ઉદીરણા, કયાં સુધી હોય? ઉ ૧ થી ૧૪ સુધી ઉદય જાણવો, ૧ થી ૬ સુધી ઉદીરણા જાણવી. ૨૧૫. મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસત્રિક, સુભગ, આદેય, યશની, ઉદય, ઉદીરણા ક્યાં સુધી હોય? ૧ થી ૧૪ સુધી ઉદય, ૧ થી ૧૩ સુધી ઉદીરણા હોય. ૨૧૬. જિનનામની ઉદય, ઉદીરણા કયાં સુધી હોય? - ૧૩ અને ૧૪માં ઉદય, ૧૩ મેજ ઉદીરણા હોય. ૨૧૭. ઉચ્ચ ગોત્રની ઉદય, ઉદીરણા કયાં સુધી હોય? ૧ થી ૧૪ ઉદય, ૧ થી ૧૩ ઉદીરણા હોય છે. ૨૧૮. પાંચ નિદ્રાની ઉદય, ઉદીરણામાં ફેર છે? કઈ રીતે? શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત થયા પછી ઈન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઉદય જ હોય છે ઉદીરણા હોતી નથી બાકીના કાળમાં ઉદય, ઉદીરણા સાથે જ હોય છે. ઉ

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144