Book Title: Kala Etle Shu
Author(s): Maganbhai Prabhudas Desai
Publisher: Parivar Prakashan Sahkari Mandir

View full book text
Previous | Next

Page 220
________________ ખરી કળાની ખેટનાં માઠાં ફળ ૧૭૫ આરંભમાં ઉઠાવ્યો છે. સમાજના માત્ર એક નાના જ ભાગની માલકીની વસ્તુ, કે જેને આપણે કલા કહીએ છીએ, તે વસ્તુને માનવ મજૂરીનાં, માનવ જીવનનાં, અને સાધુતા કે સામિાણસાઈનાં જેવાં બલિદાનો આજ અપાય છે, તેવાં અપાવાં જોઈએ? એ શું વાજબી છે? અને એ પ્રશ્નનો સ્વાભાવિક ઉત્તર મળે છે કે, ના, એ ગેરવાજબી છે, ને આવું બધું ન થવું જોઈએ. પાકી સમજબુદ્ધિ અને અવિકૃત નીતિભાવના પણ આવો જ ઉત્તર આપે છે: આવું બધું ન થવું જોઈએ; આપણામાં કલા કહેવાતી વસ્તુને આવાં બલિદાન ન અપાવાં જોઈએ એટલું જ નહિ, પણ ઊલટું, સાચું જીવન ગાળવા ઇચ્છનારાઓના પ્રયત્નો આ કલાને નાબૂદ કરવા તરફ વળવા જોઈએ. કારણ કે, માનવ જાતના આપણા (યુરોપીય) વિભાગને પજવતાં અનિષ્ટોમાં તે ઘાતકીમાં ઘાતકી એક છે. એટલે, જો એમ પૂછવામાં આવે કે, આપણા ખ્રિસ્તી જગત પાસે કલા તરીકે કદર પામતું જે બધું અત્યારે છે તે લઈ લેવામાં આવે અને તેથી તેની ખરાબીની સાથે તેમાં જે કાંઈ સારું હોય તે બધું પણ ખોવાનું થાય, તો તે પસંદ કરવા જેવું ખરું? તો, મને લાગે છે કે, દરેક સમજુ ને નીતિમાન માણસ પ્લેટોએ “રિપબ્લિકમાં આપેલો કે માનવજાતના આદિ દેવળધર્મ ને મુસલમાન બધા ધર્મોપદેશકોએ આપેલો નિર્ણય જ ફરી કરશે અને કહેશે, અત્યારે હયાત એવી પાતક કલા કે કલાભાસ ચલાવવાને બદલે તો કલા ભલે તદ્દન જ ન હોય.' કોઈને આવા પ્રશ્નનો સામનો કરવાનો નથી, એટલે તેને આ કે પેલો ઉકેલ સ્વીકારવાનો નથી, એ સુખની વાત છે. માણસ જે કરી શકે છે, અને આપણે ભણેલા કહેવાતા લોકો, (કે જે એવે પદે છીએ કે, આપણા જીવનની ઘટનાઓને અર્થ સમજવાનું આપણાથી બની શકે એમ છે,) તેવા આપણે જે કરી શકીએ ને કરવું જોઈએ, તે એટલું જ કે, જે ભૂલમાં આપણે ફસાયા છીએ તેને સમજવી, ને તેનાથી આપણાં હૃદયને શૂન્ય કે જડ થવા ન દેવાં, પણ તેમાંથી બચવાને રસ્તો શોધવો.

Loading...

Page Navigation
1 ... 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278