Book Title: Kala Etle Shu
Author(s): Maganbhai Prabhudas Desai
Publisher: Parivar Prakashan Sahkari Mandir

View full book text
Previous | Next

Page 250
________________ પુરવણી વૌટ ઈઝ ટૂથ? ” [“સત્ય !-એટલે શું?”] એન. એન. ગે નામે એક ચિત્રકારના ચિત્રનું આ નામ છે. તે બાઇબલની એક કથાના શબ્દો પરથી છે. આ કથા આમ છે – પેલેસ્ટાઈનના રોમન ગવર્નર પાઈલેટ પાસે ઈશુ ખ્રિસ્તને પકડીને રજૂ કરવામાં આવ્યા. પાઇલેટ જોડે સંવાદ થયો, તેમાં ઈશુએ એવું કહ્યું કે, “હું તો સત્યનો બંદો છું; પ્રભુ એના રાહે દોરે તેમ વર્તુ છું.” આથી પાઇલેટે જવાબમાં કહ્યું–“સત્ય એટલે શું?- સત્ય વળી શું?’ એમ પૂછવામાં એની મતલબ યા તેના પ્રશ્નને ભાવ એ હતો કે, “સત્ય તે કોણે જાણ્યું ! જે જેમ માને તેમ ખરું. સત્ય તો સાપેક્ષ વસ્તુ છે.” આ પ્રશ્નના જવાબમાં ઈશુ ખ્રિસ્ત મૌન સેવીને ઊભા રહ્યા. પાઇલેટને જવાબની ગરજ પણ નહોતી; તે તો “વોટ ઇઝ ટૂથ?” –એમ ટૂંકું વદીને બહાર નગરજનોનાં ટોળાં વળ્યાં હતાં ત્યાં ચાલ્યો ગયો. ચિત્રકાર ગેએ આ પ્રસંગ આલેખતું ચિત્ર ઈ. સ. ૧૮૯૦માં ટેસ્ટયના ગામ યાર્નયા-પોલિયાનામાં, તેમના જ ખંડમાં બેસીને દોર્યું હતું. તે પછી એ પિટર્સબર્ગના ચિત્રકલા પ્રદર્શનમાં મુકાયું; પરંતુ સરકારે તેના પર પ્રતિબંધ મૂકીને બંધ કરાવ્યું. ગેએ ચિત્રની નકલ ટેસ્ટયને આપી હતી. તે જોઈને તેમણે ગેને લખ્યું, “તમારા ચિત્રનું જ ચિંતન ચાલે છે. પ્રદર્શનમાં મૂકો છે, તે કેવુંક લોકને ગમે છે, તે જાણવા આતુર છું. તેમાં મને ચિંતા પાઈલેટના હાથ વિષે છે, – કે જેમાં કાંઈક ભૂલ તો નથી થઈ? તેથી ૨૦૫

Loading...

Page Navigation
1 ... 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278