Book Title: Jina Dhammo Part 02
Author(s): Nanesh Acharya
Publisher: Akhil Bharatvarshiya Sadhumargi Jain Sangh

View full book text
Previous | Next

Page 462
________________ (૬) તપાé : જે દોષની શુદ્ધિ તપ દ્વારા થાય, તે તપાહે પ્રાયશ્ચિત્ત છે. જેમ સચિત્તના સ્પર્શથી લાગેલા દોષની નિવૃત્તિ આયંબિલ, ઉપવાસ વગેરે તપથી થાય છે. (૭) છેદાહ : જે દોષનું સેવન કરવાથી દીક્ષા પર્યાયનો છેદ કરવામાં આવે, તે છેદાહ છે. અપવાદ માર્ગનું સેવન કરવા તથા જાણી-જોઈને દોષ લગાવવાથી છેદ પ્રાયશ્ચિત્તથી એની શુદ્ધિ થાય છે. એમાં પાળેલા સંયમની અવિધમાંથી કેટલાક દિવસો કે છેદ પ્રાપ્ત સાધુ એ બધા સાધુઓ વંદના કરે છે, જેમનાથી પહેલા દીક્ષિત થવા છતાંય પર્યાય ઓછા કરી દેવાથી તે નાનો થઈ જાય છે. (૮) મૂલાર્હ : જે અપરાધ એટલા ગંભીર હોય કે એમની શુદ્ધિ ફરીથી નવી દીક્ષા આપવાથી થાય, તે મૂલાહ છે. આ પ્રાયશ્ચિત્તમાં સંયમ પર્યાયનો પૂરો છેદ થઈ જાય છે અને ફરીથી દીક્ષા લેવી પડે છે. જાણી જોઈને મહાવ્રતોનો ભંગ કરવાથી, રાત્રિભોજન કરવાથી આ પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે. (૯) અનવસ્થ્યાપ્યાર્હ : વિશિષ્ટ-ગંભીર અપરાધ કરવાની સ્થિતિમાં સાધુને ગૃહસ્થભૂત બનાવીને વિશિષ્ટ પ્રકારની તપસ્યા કરાવ્યા પછી જ જેમાં નવી દીક્ષા આપી શકાતી હોય, તે અપરાધ અનવસ્થાપ્યાર્હ છે અર્થાત્ એમની શુદ્ધિ આ પ્રાયશ્ચિત્તથી થાય છે. (૧૦) પારંચિકાર્હ : ઉત્સૂત્ર પ્રરૂપણા, સાધ્વીના શીલનો ભંગ કરવો, સંઘમાં ભેદ કરવો વગેરે ગંભીરતમ અપરાધ કરવાથી સંઘથી અલગ કરીને કઠોર તપ કરાવીને, છ મહિનાથી લઈને બાર વર્ષ પર્યંત ગૃહસ્થભૂત કર્યા પછી જ જેને નવ દીક્ષા આપી શકાય છે, એવા પ્રાયશ્ચિત્ત પારંચિક કહેવામાં આવે છે. નવમા અને દસમા પ્રાયશ્ચિત્ત વૃત્તિ-સંહનનની હીનતાનાં કારણો વર્તમાનમાં આપવામાં આવતા નથી. ચૌદ પૂર્વધર અને વજઋષભનારાચ સંહનન જ્યાં સુધી રહે છે, ત્યાં સુધી દસેય પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે. સામાન્ય સાધુઓ માટે પહેલાંથી લઈને આઠ પ્રાયશ્ચિત્ત જ હોય છે. પ્રાયશ્ચિત્ત લેવાની પાત્રતા : જે સાધુ આલોચના કરવાને પાત્ર છે, એમાં આ દસ ગુણો હોવા જોઈએ : (૧) ઉત્તમ જાતિસંપન્ન, (૨) ઉત્તમ કુલસંપન્ન, (૩) વિનયવાન, (૪) જ્ઞાનવાન, (૫) દર્શનવાન, (૬) ચારિત્રવાન, (૭) ક્ષમાવાન, (૮) જિતેન્દ્રિય, (૯) અમાયી અને (૧૦) પ્રાયશ્ચિત્ત લઈને પશ્ચાત્તાપ ન કરનાર. આ ગુણોની ધારક વ્યક્તિ જ શુદ્ધ આલોચના કરી શકે છે. પ્રાયશ્ચિત્ત આપવાની પાત્રતાઃ નીચેના દસ ગુણોના ધારક મુનિ જ પ્રાયશ્ચિત્ત આપવાના અધિકારી હોય છે : (૧) શુદ્ધાચારી, (૨) શુદ્ધ વ્યવહારી, (૩) અવધારણાવાળો, (૪) લજ્જા દૂર કરનાર (જેનાથી સામેવાળો સુખથી આલોચના કરી શકે), (૫) શુદ્ધિ કરવામાં સમર્થ, (૬) અપરિસાવી - આલોચનાને પ્રગટ ન કરનાર, (૭) નિર્યાપક - આલોચના કરનાર જેને નિભાવી શકે, એવું આત્યંતર તપ ૯૬૫

Loading...

Page Navigation
1 ... 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530