Book Title: Jina Dhammo Part 02
Author(s): Nanesh Acharya
Publisher: Akhil Bharatvarshiya Sadhumargi Jain Sangh

View full book text
Previous | Next

Page 491
________________ આઠ પ્રત્યેક પ્રકૃતિઓઃ (૧) અગુરુલઘુ - જે કર્મના ઉદયથી જીવનું શરીર ન તો લોખંડ જેવું ભારે અને ન ચોખ્ખા રૂની જેમ હલકું હોય, તે અગુરુલઘુ નામ કર્મ છે. (૨) ઉપઘાત - જે કર્મના ઉદયથી જીવ પોતાના જ અવયવોથી દુઃખી હોય, જેમ કે પ્રતિજિહુવા, રસોલી, ચોરદાંતનું હોવું. (૩) પરાઘાત - જે કર્મના ઉદયથી જીવ કોઈની દ્વારા પરાજિત કે પરાભૂત ન હોય. (૪) શ્વાસોચ્છવાસ - જે કર્મના ઉદયથી જીવનું શરીર શ્વાસ લે છે અને છોડે છે. આતપ - જે કર્મના ઉદયથી જીવનું શરીર ઉષ્ણ (ગરમ) ન થઈને પણ ઉષ્ણ પ્રકાશ કરે, યથા-સૂર્યમંડળના જીવોનું શરીર. (૬) ઉદ્યોત - જે કર્મના ઉદયથી જીવનું શરીર શીતળ પ્રકાશ કરે, યથા-ચંદ્રમંડળના જીવોનું શરીર. (૭) નિર્માણ - શરીરનાં અંગોપાંગોને યથાસ્થાન વ્યવસ્થિત કરનાર કર્મ. (૮) તીર્થકર નામ - ધર્મતીર્થ - પ્રવર્તન કરવાની શક્તિ દેનાર કર્મ તીર્થંકર નામ કર્મ છે. ત્રસ દશક : (૧) ત્રસ - જે કર્મના ઉદયથી જીવને સ્વતંત્ર રૂપથી ગમન કરવાની શક્તિ પ્રાપ્ત થાય. (૨) બાદર - જે કર્મના ઉદયથી જીવને ચર્મચક્ષુ ગોચર બાદર (ચૂલ) શરીરની પ્રાપ્તિ થાય. (૩) પર્યાપ્ત - જે કર્મના ઉદયથી જીવ સ્વયોગ્ય પર્યાપ્તિઓને પૂર્ણ કરે. (૪) પ્રત્યેક - જે કર્મના ઉદયથી એક શરીરમાં એક જ જીવ રહે. (૫) સ્થિર - જે કર્મના ઉદયથી હાંડકાં-દાંત વગેરે સ્થિર અવયવ પ્રાપ્ત થાય. (૬) શુભ - જે કર્મના ઉદયથી શરીરના અવયવો પ્રશસ્ત થાય. (૭) સુસ્વર - જે કર્મના ઉદયથી જીવનો કંઠ સુરીલો તથા પ્રીતિકારી થાય. (૮) સુભગ - જે કર્મના ઉદયથી જીવ સ્વભાવતઃ બધાંને પ્રિય લાગે. (૯) આદેય - જે કર્મના ઉદયથી જીવનાં વચનો બધાંને માન્ય થાય. (૧૦) યશ-કીર્તિ - જે કર્મના ઉદયથી જીવનો યશ અને કીર્તિ ફેલાય. સ્થાવરદશક : (૧) સ્થાવર - જે કર્મના ઉદયથી જીવને સ્વતંત્ર રૂપથી ગમનાગમન કરવાની શક્તિ પ્રાપ્ત ન થાય. (૨) સૂક્ષ્મ - જે કર્મના ઉદયથી જીવને ચર્મચક્ષુથી અગોચર સૂક્ષ્મ શરીરની પ્રાપ્તિ થાય. (૩) અપર્યાપ્ત - જે કર્મના ઉદયથી જીવ સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂરી ન કરી શકે. (૯૯૪) OCTOO . O O 2 જિણધો]

Loading...

Page Navigation
1 ... 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530