Book Title: Jina Dhammo Part 02
Author(s): Nanesh Acharya
Publisher: Akhil Bharatvarshiya Sadhumargi Jain Sangh

View full book text
Previous | Next

Page 496
________________ દર્શનાવરણ કર્મ ૯ પ્રકારે ભોગવવામાં આવે છે? (૧) નિદ્રા, (૨) નિદ્રા-નિદ્રા, (૩) પ્રચલા, (૪) પ્રચલા-પ્રચલા, (૫) સ્વાનગૃદ્ધિ, (૬) ચક્ષુદર્શનાવરણ, (૭) અચક્ષુદર્શનાવરણ, (૮) અવધિદર્શનાવરણ અને (૯) કેવળદર્શનાવરણના રૂપમાં દર્શનાવરણીય કર્મ ભોગવવામાં આવે છે. સાવાવેદનીય કર્મ : આ કર્મ દસ પ્રકારે બંધાય છે : (૧) પ્રાણીઓની અનુકંપા કરવાથી. (૨) ભૂત(વનસ્પતિ)ની અનુકંપા કરવાથી. (૩) જીવોની અનુકંપા કરવાથી. (૪) સત્ત્વોની અનુકંપા કરવાથી. (૫) ઘણાં પ્રાણી, ભૂત, જીવ, સત્વને દુઃખ ન દેવાથી. (૬) શોક ન કરાવવાથી કે કરવાથી. (૭) ઝૂરવું નહિ કે ન કરાવવું. (૮) ટપ-ટપ આંસુ ન પાડવાથી. (૯) ન પીટવાથી અને (૧૦) કરુણાજનક વિલાપ ન કરવાથી કે ન કરાવવાથી. આ કર્મ આઠ પ્રકારથી ભોગવવામાં આવે છે: (૧) મનોજ્ઞ શબ્દ, (૨) મનોજ્ઞ રૂ૫, (૩) મનોજ્ઞ ગંધ, (૪) મનોજ્ઞ રસ, (૫) મનોજ્ઞ સ્પર્શ, (૬) સ્વસ્થ મન, (૭) મધુર વાણી અને (૮) નીરોગ શરીર. આ આઠ પ્રકારે સાતવેદનીયનો અનુભવ થાય છે. “તત્ત્વાર્થ સૂત્ર'માં સાતવેદનીયના બંધ-કારણ આ પ્રમાણે બતાવવામાં આવ્યો છે : (૧) પ્રાણીઓ પર અનુકંપા કરવી. (૨) વતીઓ - વ્રતધારી શ્રાવક અને સાધુઓ ઉપર વિશેષ અનુકંપા કરવી. (૩) દાન આપવું. (૪) સરાગસંયમ, સંયમસંયમ, અકામનિર્જરા અને બાળતપનું આચરણ કરવું. (૫) ક્ષમા અને (૬) શૌચ (નિલભતા) ધારણ કરવી. આ છ સાતાવેદનીયના બંધહેતુ છે. અસાતાવેદનીયના બંધહેતુઓ : (૧) બીજાઓને દુઃખ આપવાથી, (૨) બીજાઓને શોક કરાવવાથી, (૩) બીજાઓને ઝુરાવવાથી, [ કર્મ બંધના અને ભોગવવાના પ્રકારો રાજા ૯૯૯)

Loading...

Page Navigation
1 ... 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530