Book Title: Jina Dhammo Part 02
Author(s): Nanesh Acharya
Publisher: Akhil Bharatvarshiya Sadhumargi Jain Sangh

View full book text
Previous | Next

Page 476
________________ ધર્મધ્યાનના ચાર આલંબનઃ ધર્મધ્યાન રૂપી પ્રાસાદ પર ચડવા માટે ચાર આલંબન છેઃ (૧) વાચના : સૂત્ર વગેરેનું પઠન-પાઠન. (૨) પૃચ્છના : સૂત્ર વગેરેમાં શંકા થવાથી નિવારણ-હેતુ પ્રશ્ન પૂછવા. (૩) પરિવર્તન : વાંચેલા સૂત્ર વગેરેની પુનઃ પુનઃ આવૃત્તિ કરવી. (૪) અનુપ્રેક્ષા : સૂત્રાર્થનું ચિંતન-મનન કરવું. ધર્મધ્યાનની ચાર ભાવનાઓ : ધર્મધ્યાનની પુષ્ટિ માટે ચાર ભાવનાઓ બતાવવામાં આવી છે : (૧) એકત્વભાવના (૨) અનિત્યભાવના (૩) અશરણભાવના અને (૪) સંસારભાવના. (૧) એકત્વભાવના : હું એકલો છું, મારું કોઈ નથી અને ન હું કોઈનો છું' આ રીતે આત્માના એકત્વનું ચિંતન કરવું એકત્વભાવના છે. (૨) અનિત્યભાવના : “સંસારના બધા પદાર્થ ધન-દોલત-પરિવાર, શરીર વગેરે નશ્વર છે, અનિત્ય છે, ક્ષણભંગુર છે' - આ રીતે વિચાર કરવો અનિત્યભાવના છે. (૩) અશરણભાવના : “જન્મ-જરા-મૃત્યુથી પીડિત પ્રાણી માટે કોઈપણ શરણરૂપ નથી, માત્ર જિનેન્દ્ર પ્રવચન જ શરણરૂપ છે, એને છોડીને કોઈપણ જીવ માટે શરણભૂત નથી' - એવું ચિંતન કરવું અશરણભાવના છે. (૪) સંસારભાવના : સંસારની વિચિત્રતાઓનું ચિંતન કરવું, યથા - એક ભવની માતા અન્ય ભવમાં સ્ત્રી, પુત્રી, બહેન બની જાય છે, એક ભવનો પિતા અન્ય ભવમાં પુત્રાદિના રૂપમાં થઈ જાય છે. - આ પ્રકારે ચિંતન કરવું સંસારભાવના છે. યોગશાસ્ત્ર અનુસાર ધર્મધ્યાનના ચાર ભેદો : (૧) પિંડસ્થ, (૨) પદસ્થ, (૩) રૂપસ્થ અને (૪) રૂપાતીત. (૧) પિંડસ્થ પિંડસ્થધ્યાન પિંડથી સંબંધિત છે. પિંડ અનેક પ્રકારના હોય છે. એમાં ચૌદ રાજૂ લોકની ઉપમા નાચતા ભોપાના રૂપમાં આપી છે. એ પિંડનું ચિંતન કરવું અર્થાતુ ચૌદ રાજૂ લોકમાં કયાં-કયાં તત્ત્વો કયાં-કયાં રૂપમાં રહેલાં છે ? કયા-કયાનો શું શું સ્વભાવ તથા વિભાવ છે ? કોણ નાશવાન છે તથા કોણ અવિનાશી છે, વગેરે ચિંતનની સાથે સમગ્ર દૃષ્ટિથી હેય-જ્ઞય-ઉપાદેયનું ચિંતન, તે અનુસાર હેય, શેયને યથાસ્થાને જાણવું અને છોડવું, ઉપાદેય જે આધ્યાત્મિક નિજસ્વરૂપ છે, એને ગ્રાહ્ય કરીને સમુદ્ર-મંથનની જેમ લોક-મંથનનો નિષ્કર્ષ આધ્યાત્મિક સ્વરૂપને અભિવ્યક્ત કરવાની દૃષ્ટિથી લોકરૂપ પિંડનું ચિંતન પિંડસ્થસ્થાનના અંતર્ગત આવે છે. બીજું પિંડ પૃથ્વી પિંડ, વાયવીય પિંડ, જલીય પિંડ, આગ્નેય પિંડ વગેરે પિંડોના વર્ણાદિકની દૃષ્ટિએ એ પદાર્થોનું વર્ણ, ગંધ વગેરે તાદામ્ય ગુણ રહેલો છે. એમ જ આત્મીય પિંડમાં જ્ઞાન-દર્શન-ચારિત્ર વગેરે ગુણ તાદાભ્ય રૂપમાં રહેલો છે. આ પ્રકારનું ચિંતન [ ધ્યાન 00000000000000000000 (૯૦૯)

Loading...

Page Navigation
1 ... 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530