SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મધ્યાનના ચાર આલંબનઃ ધર્મધ્યાન રૂપી પ્રાસાદ પર ચડવા માટે ચાર આલંબન છેઃ (૧) વાચના : સૂત્ર વગેરેનું પઠન-પાઠન. (૨) પૃચ્છના : સૂત્ર વગેરેમાં શંકા થવાથી નિવારણ-હેતુ પ્રશ્ન પૂછવા. (૩) પરિવર્તન : વાંચેલા સૂત્ર વગેરેની પુનઃ પુનઃ આવૃત્તિ કરવી. (૪) અનુપ્રેક્ષા : સૂત્રાર્થનું ચિંતન-મનન કરવું. ધર્મધ્યાનની ચાર ભાવનાઓ : ધર્મધ્યાનની પુષ્ટિ માટે ચાર ભાવનાઓ બતાવવામાં આવી છે : (૧) એકત્વભાવના (૨) અનિત્યભાવના (૩) અશરણભાવના અને (૪) સંસારભાવના. (૧) એકત્વભાવના : હું એકલો છું, મારું કોઈ નથી અને ન હું કોઈનો છું' આ રીતે આત્માના એકત્વનું ચિંતન કરવું એકત્વભાવના છે. (૨) અનિત્યભાવના : “સંસારના બધા પદાર્થ ધન-દોલત-પરિવાર, શરીર વગેરે નશ્વર છે, અનિત્ય છે, ક્ષણભંગુર છે' - આ રીતે વિચાર કરવો અનિત્યભાવના છે. (૩) અશરણભાવના : “જન્મ-જરા-મૃત્યુથી પીડિત પ્રાણી માટે કોઈપણ શરણરૂપ નથી, માત્ર જિનેન્દ્ર પ્રવચન જ શરણરૂપ છે, એને છોડીને કોઈપણ જીવ માટે શરણભૂત નથી' - એવું ચિંતન કરવું અશરણભાવના છે. (૪) સંસારભાવના : સંસારની વિચિત્રતાઓનું ચિંતન કરવું, યથા - એક ભવની માતા અન્ય ભવમાં સ્ત્રી, પુત્રી, બહેન બની જાય છે, એક ભવનો પિતા અન્ય ભવમાં પુત્રાદિના રૂપમાં થઈ જાય છે. - આ પ્રકારે ચિંતન કરવું સંસારભાવના છે. યોગશાસ્ત્ર અનુસાર ધર્મધ્યાનના ચાર ભેદો : (૧) પિંડસ્થ, (૨) પદસ્થ, (૩) રૂપસ્થ અને (૪) રૂપાતીત. (૧) પિંડસ્થ પિંડસ્થધ્યાન પિંડથી સંબંધિત છે. પિંડ અનેક પ્રકારના હોય છે. એમાં ચૌદ રાજૂ લોકની ઉપમા નાચતા ભોપાના રૂપમાં આપી છે. એ પિંડનું ચિંતન કરવું અર્થાતુ ચૌદ રાજૂ લોકમાં કયાં-કયાં તત્ત્વો કયાં-કયાં રૂપમાં રહેલાં છે ? કયા-કયાનો શું શું સ્વભાવ તથા વિભાવ છે ? કોણ નાશવાન છે તથા કોણ અવિનાશી છે, વગેરે ચિંતનની સાથે સમગ્ર દૃષ્ટિથી હેય-જ્ઞય-ઉપાદેયનું ચિંતન, તે અનુસાર હેય, શેયને યથાસ્થાને જાણવું અને છોડવું, ઉપાદેય જે આધ્યાત્મિક નિજસ્વરૂપ છે, એને ગ્રાહ્ય કરીને સમુદ્ર-મંથનની જેમ લોક-મંથનનો નિષ્કર્ષ આધ્યાત્મિક સ્વરૂપને અભિવ્યક્ત કરવાની દૃષ્ટિથી લોકરૂપ પિંડનું ચિંતન પિંડસ્થસ્થાનના અંતર્ગત આવે છે. બીજું પિંડ પૃથ્વી પિંડ, વાયવીય પિંડ, જલીય પિંડ, આગ્નેય પિંડ વગેરે પિંડોના વર્ણાદિકની દૃષ્ટિએ એ પદાર્થોનું વર્ણ, ગંધ વગેરે તાદામ્ય ગુણ રહેલો છે. એમ જ આત્મીય પિંડમાં જ્ઞાન-દર્શન-ચારિત્ર વગેરે ગુણ તાદાભ્ય રૂપમાં રહેલો છે. આ પ્રકારનું ચિંતન [ ધ્યાન 00000000000000000000 (૯૦૯)
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy