Book Title: Jain Vartao 05
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 11
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : ૭ દાખલ થઈને જોયું... ત્યાં તો જ્ઞાનાવરણાદિ કર્મો દેખાયા, પણ ચૈતન્યપ્રભુ તો ન દેખાયા. ત્યારે તે ચેતનાએ પૂછયું-મારા ચૈતન્યપ્રભુ કયાં છે? સાંભળ, હું પરિણતિ! આ જડ કર્મોમાં જે ક્રિયા થાય છે તેની દોરી તારા ચેતનપ્રભુના હાથમાં છે; તેના હાથની હલાવી તે હાલે છે... તારા ચૈતન્યપ્રભુના ભાવ અનુસાર આ કર્મોમાં પ્રદેશપ્રકૃતિ-સ્થિતિ-અનુભાગ થાય છે. “જ્ઞાનગુણ” ધારક તારા ચૈતન્યપ્રભુની સત્તાના પ્રતાપે જ આ પુદ્ગલો “જ્ઞાનાવરણ વગેરે નામ પામ્યાં છે. અંદર જ્ઞાનવંત તારો ચેતનપ્રભુ ન બિરાજતો હોય તો આ પુદગલોને “જ્ઞાનાવરણ' આદિ નામ કયાંથી મળે? માટે આ દ્રવ્યકર્મરૂપી દોરી પકડીને તેના દોરે દોરે અંદર ચાલી જા. આ દોરીને ન દેખ પણ દોરી જેના હાથમાં છે તેને દેખ... અંદર ઊંડ ત્રીજી ગૂફામાં જઈને ગોત. (૩) ચૈતન્યપ્રભુને ભેટવા ઝંખતી પરિણતિ ત્રીજી ગૂફામાં ગઈ.... ચૈતન્યપ્રભુના કંઈક-કંઈક ચિહ્ન તેને જણાવા લાગ્યાં... આ ત્રીજી ગૂફામાં રાગદ્વેષાદિ ભાવકર્મ દેખાયાં. ચેતનાએ પૂછયુંઆમાં મારા ચૈતન્યપ્રભુ ક્યાં છે? Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93