Book Title: Jain Vartao 05
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 85
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : ૮૧ (૭) આસ્રવ ભાવના દરિયામાં રહેલી છેદવાળી નૌકામાં જેમ સતત પાણી ભરાઈને તેને ડૂબાડે છે, તેમ મોહરૂપી છિદ્ર દ્વારા આત્મામાં કર્મો આવ્યા કરે છે ને તેને સંસાર-સમુદ્રમાં ડૂબાડે છે. તે કર્મો આવવાનું મુખ્ય કારણ મિથ્યાત્વ છે. તે ઉપરાંત કષાયનો નાનો કણ પણ જીવને કર્મનો આસ્રવ કરાવે છે. માટે હે જીવ! તું ચૈતન્યમાં લીનતા વડે વીતરાગ થઈને સર્વે આગ્નવોને રોક, અને નિરાગ્નવી થા એમ કરવાથી જ તારી આત્મનૌકા આ ભવસમુદ્રથી પાર થશે, ને તારું કલ્યાણ થશે. (૮) સંવર ભાવના કર્મના આસ્રવને અટકાવવો તે સંવર છે. સમ્યગ્દર્શનપૂર્વકના આત્મધ્યાનથી તે સંવર થાય છે. પ્રથમ જ સમ્યગ્દર્શન માત્રથી જ મિથ્યાત્વાદિ અનંત સંસારનો સંવર થઈ જાય છે. સંવર થતાં ફરીને આ આત્મા સંસારમાં ભટકતો નથી; તેને મોક્ષનો માર્ગ મલી જાય છે. માટે હું આત્મા! ટ્વે તું સંસારના ઝંઝટોને છોડીને તે પુનિત સંવરનો આશ્રય કર. મિથ્યાત્વ આદિક ભાવને ચિરકાળ ભાવ્યા છે જીવે, સમ્યકત્વ - આદિક ભાવ રે! ભાવ્યા નથી પૂર્વે જીવે. ભવચક્રમાં ભમતાં કદી, ભાવી નથી જે ભાવના, ભવનાશ કરવા કાજ હું ભાવું અપૂરવ ભાવના. અહો! ભવનાશ કરનારી, અપૂર્વ આત્મભાવના આ ક્ષણે જ ભાવો. ઉપયોગસ્વરૂપ આત્માને અનુભવમાં લઈને સમસ્ત પરભાવોને નષ્ટ કરો. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93