Book Title: Jain Vartao 05
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 86
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૨ : જૈનધર્મની વાર્તાઓ (૯) નિર્જરા ભાવના સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર અને તપદ્વારા કર્મોની નિર્જરા થાય છે. જેમ ધગધગતા અગ્નિ દ્વારા કડાઈનું બધું પાણી શોષાઈ જાય છે, તેમ ઉગ્ર આત્મભાવનાને પ્રતાપથી વિકાર બળી જાય છે ને કર્મો ઝરી જાય છે. નિર્જરા બે પ્રકારની છે –સવિપાક અને અવિપાક; તેમાં વિપાક નિર્જરા તો બધા જીવોને થાય છે; મોક્ષના કારણરૂપ અવિપાક નિર્જરા સમ્યગ્દષ્ટિ, વ્રતધારી, મુનિઓને જ થાય છે અને તે જ આત્માને કાર્યકારી છે. માટે હું આત્મા! તું આત્મધ્યાનથી ઉગ્રતાવડે અવિપાક નિર્જરાને આચર, કે જેથી પચમજ્ઞાની થતાં તને વાર ન લાગે. અહો ! સમ્યગદર્શન થતાં જ અનંતી નિર્જરા શરૂ થઈ જાય છે, ને ધ્યાનવડ અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન થાય છે. પરમાત્મ-સ્વભાવનું સમ્યગ્દર્શન પણ ધીમે ધીમે આઠેય કર્મોને બાળીને ખાખ કરી નાખે છે, તો તેના ધ્યાનમાં એકાગ્રતારૂપ શુદ્ધોપયોગથી તો કર્મનો નાશ થતાં શું વાર લાગે ? આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને, આનાથી બન તું તૃસ, તુજને સુખ અહો ! ઉત્તમ થશે. (૧૦) લોક ભાવના અનંતા જીવ-અજીવના સમૂહરૂપ આ લોક (જગત) કોઈએ બનાવેલ નથી, કોઈ તેનો નાશ કરી શકતું નથી, અને કોઈએ તેને ધારણ કરી રાખ્યો નથી; એ તો અનાદિસિદ્ધ અકૃત્રિમ નિરાલંબી છે. અનંત અલોકની વચમાં જેમ આ લોક કોઈ આલંબન વગર રહેલો છે, તેમ લોકમાં Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93