Book Title: Jain Vartao 05
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 88
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૪ : જૈનધર્મની વાર્તાઓ રત્નત્રય પ્રગટ કરવા તે જ સાચો લાભ છે, તે જ સાચું સુખ છે. રત્નત્રય પ્રગટ કરતાં જીવનો બેડો ભવથી પાર થઈ જાય છે. પરમ દુર્લભ સમ્યકત્વરૂપી બાણ વગર જીવયોદ્ધો સંસારમાં ઘૂમી રહ્યો છે. જેમ યોદ્ધા પાસે કામઠું હોય પણ જો બાણ ન હોય તો તે લક્ષ્યને વેધી શકતો નથી, તેમ જીવયોદ્ધા પાસે વ્રત અને જ્ઞાનના ઉઘાડરૂપી કામઠું હોય પણ જો લક્ષ્યવેધક બાણ એટલે કે ચૈતન્યને લક્ષમાં લેનારું સમ્યકત્વ ન હોય તો તે મોહને વીંધી શકતો નથી, ને સંસારથી છૂટી શકતો નથી. માટે હે જીવ! તું સમ્યકત્વરૂપી તીર્ણ તીરને પામીને હવે મોહને સર્વથા ભેદી નાંખ, –જેથી સંસારની જેલમાંથી છુટકારો થઈ જાય, ને મોક્ષસુખ પ્રગટે. (૧૨) ધર્મભાવના સમ્યગ્દર્શનાદિરૂપ જે ધર્મ છે તેનાથી આ જીવને સુખની પ્રાપ્તિ થાય છે. ધર્મ તો આત્માના તે ભાવનું જ નામ છે કે જે આત્મભાવ જીવને દુઃખથી છોડાવીને સુખરૂપ શિવધામમાં સ્થાપે. માટે હે આત્મા! તું ભાવમોથી ઉત્પન્ન થયેલા વિકલ્પોને છોડીને શુદ્ધ ચૈતન્યરૂપ તારા આત્માનું દર્શન કરીને તેમાં લીન થા; એ જ ધર્મ છે અને તે જ તને સુખરૂપ છે. આ સિવાય સંસારમાં જે વિવિધ પાંખડોરૂપ ધર્મ દેખાઈ રહ્યા છે તે વાસ્તવમાં ધર્મ નથી. તું એ વાત બરાબર સમજી લે અને નિશ્ચય કરી લે કે આત્માનો શુદ્ધઉપયોગ તે જ ધર્મ છે, અને એવા ધર્મને ધારણ કરવાથી જ અચલસુખ અનુભવાય છે. –આ પ્રમાણે બાર અનુપ્રેક્ષાઓ ભાવીને સમસ્ત સંસારભાવોથી વિરક્ત થઈને તે પાંડવ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93