________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : ૪૩ જેમ તેમ બકવા લાગ્યા, ને આમતેમ નાચવા લાગ્યા. એવામાં તેમણે પાયનને દેખ્યો. દેખતાંવેંત કહ્યું: અરે, આ તો દ્વિપાયન-જેના દ્વારા દ્વારકાનગરીનો નાશ થવાનો હતો તે ! તે અહીંથી ભાગી ગયો હતો પણ હવે તે આપણાથી બચીને
ક્યાં જવાનો છે? એમ કહીને તે કુમારો નિર્દયપણે તે તપસીને પાણા મારવા લાગ્યા. એવા માર્યા કે તે તપસી જમીન પર પડી ગયા.
ત્યારે તે દ્વીપાયનને ઘણો ક્રોધ ઊપજ્યો. (અરે, હોનહાર !) ક્રોધથી હોઠ ભીંસીને તેણે આંખો ચડાવી અને યાદવોના પ્રલય માટે કટિબદ્ધ થયો. યાદવકુમારો ભયના માર્યા દોડ્યા. અને દોડદોડ દ્વારકાનગરીમાં આવ્યા. આખી નગરીમાં હલચલ મચી ગઈ.
- બળદેવ અને શ્રીકૃષ્ણ આ વાત સાંભળતાં જ મુનિ પ્રત્યે ક્ષમા કરાવવા દોડયા. અને ક્રોધાગ્નિથી પ્રજવલિત, જેના મોં સામે નજર પણ મંડાતી નથી અને જે કંઇગતપ્રાણ છે–એવા ભયંકર દ્વિીપાયન ઋષિ પ્રત્યે હાથ જોડી નમસ્કાર કરીને નગરીનું અભયદાન માંગ્યું: હે સાધુ! રક્ષા કરો; ક્રોધને શાંત કરો. તપનું મૂળ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com