________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : ૭૧ ગયા. ત્યાંથી નીકળીને અહીં સહદેવ તથા નકુલ થયા છો.
નાગશ્રીનો જીવ (જે અત્યારે દ્રોપદી છે તે) મુનિની વિરાધનાના દુષ્ટ ભાવને લીધે મરીને નરકે ગયો, પછી દષ્ટિવિષ નામનો ભયંકર સર્પ થઈને પાછો નરકમાં ગયો...પછી દીર્ધકાળ સુધી ત્રસસ્થાવરના અનેક ભવ કર્યા...ને ઘોર દુઃખો ભોગવ્યા. પછી પાપકર્મો કંઈક હળવા થતાં તે ચંપાપુરીમાં ચાંડાલ કન્યા થઈ; મુનિરાજ પાસે જૈનધર્મ સાંભળીને તેણે મધુ-માંસ વગેરેનો ત્યાગ કર્યો ને શુભભાવથી મરીને ચંપાપુરીમાં જ એક શેઠને ત્યા “સુકુમારી” નામની કન્યા થઈ; પણ તેનું શરીર કુરૂપ અને દુર્ગધી હતું, તેથી તેનો પતિ પણ તેનાથી અત્યંત દૂર રહેતો. આથી તે પોતાના દુર્ભાગ્ય ઉપર ખેદ કરતી હતી કે અરેરે, મેં પૂર્વભવમાં ધર્મનો અનાદર કર્યો ને પાપ બાંધ્યા તેથી મારો અનાદર થાય છે. આમ તે પોતાની નિંદા કરીને પશ્ચાત્તાપ તથા ઉપવાસ કરતી હતી. એકવાર તેના આંગણે આર્થિકાસંઘ આવ્યો; તેમાં બે આર્થિકા અત્યંત સુકોમળ અને નાની વયના હતા. તેમણે લગ્ન
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com