Book Title: Jain Vartao 05
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 76
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭ર : જૈનધર્મની વાર્તાઓ મંડપમાં જ જાતિસ્મરણ થતાં વૈરાગ્ય પામીને દીક્ષા લઈ લીધી હતી. તેમની કથા સાંભળીને સુકુમારી (નાગશ્રી અથવા દ્રૌપદીના જીવ) નું ચિત્ત પણ સંસારથી વિરક્ત થયું..ને આત્મજ્ઞાન વગર માત્ર વૈરાગ્યથી તેણે અર્જિકાવ્રત ધારણ કર્યું. એક વખત તેણે વસંતસેના નામની વેશ્યાને વૈભવના ઠાઠમાઠ સહિત જતી દેખી, પાંચ કામીપુરુષો તેની સેવા કરી રહ્યા હતા. તેનો આ ઠાઠમાઠ જોઈને અજ્ઞાનથી તે સુકુમારી - અજિંકાએ એવું નિદાન કર્યું કે મને પણ ભવિષ્યમાં આવું સૌભાગ્ય પ્રાપ્ત હો ! ત્યાંથી મરીને તે સ્વર્ગમાં ગઈ; સોમદત્તનો (અર્જુનનો) જીવ જે પૂર્વભવમાં તેનો પતિ હતો ને સ્વર્ગમાં ગયો હતો, તેની તે દેવી થઈ ...અને ત્યાંથી નીકળીને અહીં દ્રૌપદી તરીકે અવતરી છે. પૂર્વે અશુભ નિદાન કરેલ તેના ઉદયને લીધે, તે સતી (માત્ર અર્જુનની પત્ની) હોવા છતાં પાંચભર્તારી' તરીકે લોકમાં પ્રસિદ્ધ થઈ. પણ હવે તેનું ચિત્ત સંસારથી ઉદાસીન થઈને ધર્મમાં લાગ્યું છે. પ્રભુશ્રી નેમનાથ તીર્થકરની સભામાં આ રીતે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93