________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : ૭૫
શત્રુંજય ઉપ૨ ધો૨ ઉપસર્ગની વચ્ચે પાંડવમુનિવરોએ ભાવેલી વૈરાગ્ય ભાવના
શત્રુંજય ઉપર પાંચ પાંડવ મુનિવરો યુધિષ્ઠિર-ભીમ-અર્જુન-નકુલ-સહદેવ સંસારથી વિમુખ થઇને, આત્મસ્વરૂપમાં ઉપયોગને એકાગ્ર કરીને ધ્યાનમાં શુદ્ધાત્માને ધ્યાવતા હતા...શત્રુ મિત્ર પ્રત્યે તેમને સમભાવ હતો...તે વખતે દુર્યોધનના દુષ્ટ ભાણેજે તેમને દેખ્યા...ને ‘ આ લોકોએ જ મારા મામાને માર્યા છે' એમ વિચારી વેરબુદ્ધિથી બદલો લેવા તે તૈયાર થયો. તે દુષ્ટજીવે ભયંકર ક્રોધપૂર્વક લોખંડના ધગધગતા મુગટ વગેરે દાગીના મુનિવરોના મસ્તક પર પહેરાવીને અગ્નિનો ઘોર ઉપસર્ગ કર્યો... ધગધગતા લોહમુગટથી મુનિવરોનું મસ્તક સળગવા લાગ્યું... હાથ-પગ બળવા લાગ્યા... આવા ઘોર ઉપસર્ગની વચ્ચે પણ નિંજસ્વરૂપથી ડગ્યા વગર તેમણે બાર વૈરાગ્ય ભાવનાઓનું ચિંતન કર્યું અને યુધિષ્ઠિરભીમ-અર્જુન એ ત્રણ મુનિવરોએ તો તે જ વખતે નિર્વિકલ્પ શુદ્ધોપયોગપૂર્વક ક્ષપક શ્રેણી માંડીને કેવળજ્ઞાન પ્રગટ કર્યું ને મોક્ષ પામ્યા. બાકીનાં નકુલ અને સહદેવ એ બે મુનિવરોને પોતાના ભાઈઓ સંબંધી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com