Book Title: Jain Vartao 05
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 56
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પર : જૈનધર્મની વાર્તાઓ છે. પણ આ જીવે તેનો ઘાત વિચાર્યો ત્યાં તેને જીવહિંસાનું પાપ લાગી ચૂકયું અને તે આત્મઘાતી થઇ જ ગયો. બીજાને હણવાનો ભાવ કરવો તે તો, ધગધગતો લોખંડનો ગોળો બીજાને મારવા માટે હાથમાં લેવા જેવું છે, એટલે સામો તો મરે કે ન મરે પણ પહેલાં પોતે તો દાઝે જ છે; તેમ કષાયવશ જીવ પ્રથમ તો પોતે પોતાને જ કષાયઅગ્નિવડે હણે છે. ક્રોધથી પરનું બૂરું કરવા ચાહનાર જીવ પોતે દુઃખની પરંપરા ભોગવે છે. માટે જીવે ક્ષમાભાવ રાખવો યોગ્ય છે. ક્રોધથી અંધ થયેલા દ્વીપાયન-તાપસે ભવિતવ્યતાવશ દ્વારાવતી નગરીને ભસ્મ કરી, તેમાં કેટલાય બાળકો-વૃદ્ધો-સ્ત્રીઓ-પશુઓ બળી ગયા; અનેક જીવોથી ભરલી તે નગરી છ મહિના સુધી આગમાં સળગતી રહી. અરે, ધિક્કાર આવા ક્રોધને-કે જે સ્વ-પરનો નાશ કરીને સંસાર વધારનારો છે. અરે, જુઓ તો ખરા આ સંસારની સ્થિતિ! બળદેવ અને શ્રી કૃષ્ણ, વાસુદેવ જેવા મોટા પુણ્યવંત પુરુષો કેવી મહાન વિભૂતિને પામ્યા, જેમની પાસે સુદર્શનચક્ર જેવા અનેક મહારત્નો હતા, હુજારો કેવો જેમની સેવા કરતા ને હજારો રાજા Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93