Book Title: Jain Vartao 05
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 65
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : ૬૧ અનુસાર જીવન-મરણ, સંયોગ-વિયોગ પામે છે, બીજો કોઈ મિત્ર કે શત્રુ તેને સુખ-દુઃખનો દાતા નથી. હું બંધુ ! બળદેવ મારા માટે પાણી લેવા ગયા છે. તેઓ આવી પહોંચે ત્યાર પહેલાં તમે અહીંથી શીઘ્ર ચાલ્યા જાઓ. જો તેઓ આવી પહોંચશે ને આ હાલત જોશે તો તેઓ ક્રોધિત થઈ ને કદાચિત્ તમને મારી નાંખે, તો આપણો વંશ જ ન રહે. આપણા વંશમાં તમે એકલા બચ્યા છો. માટે તમે શ્રાવકવ્રત ધારણ કરીને પાંડવો પાસે જાઓ અને તેમને બધી વાત કરો. તેઓ આપણા પરમ તિસ્વી છે, તેથી આપણા કુળની રક્ષા માટે તેઓ તમને રાજ આપશે. નિશાની તરીકે પોતાનો કૌસ્તુભમણિ શ્રીકૃષ્ણે આપ્યો ને કહ્યું કે આ ચિહ્નથી પાંડવો તમારો વિશ્વાસ કરશે ને તમારો આદર કરશે. આ મણિ ગુપ્ત રાખીને તમે લઈ જાજો –આમ કહી ક્ષમાભાવપૂર્વક શ્રીકૃષ્ણે તેને વિદાય આપી. જરતકુમારે પણ ક્ષમાભાવ કર્યો....ને તેના પગનું બાણ સાવધાનીપૂર્વક કાઢયું. હૈ દેવ! ક્ષમા કરજો –એમ કહીને તે વિદાય થયો... શ્રીકૃષ્ણને બાણના ઘાની ભયંકર વેદના Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93