________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : ૪૫ માર્યો, માટે હવે હું તે પાપીઓ સહિત આખી નગરીને જ ભસ્મ કરી નાંખ્યું ! એમ આર્તધ્યાનસહિત તેજલેશ્યાથી તે નગરીને બાળવા લાગ્યો. (બીજા પુરાણમાં એમ પણ આવે છે કે દ્વીપાયનમુનિએ નિદાન કર્યું અને દેવ થયા પછી દ્વારકાનગરીને ભસ્મ કરી.) નગરીમાં ચારેકોર ઉત્પાત મચી ગયો....ઘરેઘરે બધાને ભયનો રોમાંચ થયો. આગલી રાતે નગરીના લોકોએ ભયંકર સ્વપ્નો દેખ્યા હતા. ક્રોધી દ્વીપાયન, મનુષ્યો અને તિર્યચોથી ભરેલી તે દ્વારકાનગરીને બાળવા લાગ્યો. અગ્નિમાં અનેક પ્રાણીઓ બળવા લાગ્યા તે સળગતા પ્રાણીઓ અત્યંત કરુણ વિલાપ કરવા લાગ્યા... કોઈ અમને બચાવો રે બચાવો! આવો કરુણ ચિત્કાર શ્રીકૃષ્ણની દ્વારકામાં કદી થયો ન હતો. બાળ-વૃદ્ધ સ્ત્રી, પશુ ને પંખી બધા અગ્નિમાં બળવા લાગ્યા...દેવોએ રચેલી દ્વારકાનગરી છ માસ સુધી આગમાં બળતી રહી ને સર્વથા નષ્ટ થઈ ગઈ.
અહીં કોઈ પ્રશ્ન કરે કે અરે! આ મહાન વૈભવવાળી દ્વારકાપુરી, જેની દેવોએ રચના કરી, તેમ જ અનેક દેવો જેના સહાયક હતા, તે બધા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com