________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રર : જૈનધર્મની વાર્તાઓ રાજ્યભોગોને છોડીને તે મોક્ષસુખને સાધ્યું છે. શ્રી નેમિનાથ તીર્થકર સૌરાષ્ટ્રમાં થયા તેમણે પણ આત્મામાંથી તે જ અતીન્દ્રિયસુખને સાધ્યું છે. અતીન્દ્રિય સુખ એ જ સાચું સુખ છે, ને તે સુખ આત્મામાંથી જ આવે છે, વિષયોમાંથી નહીં.
બુદ્ધિમાન ધર્માત્મા પાસેથી અતીન્દ્રિયસુખની આવી સરસ વાત સાંભળીને તે મૂરખને પસ્તાવો થયો ને કહ્યું: અરે, મેં વરાંગકુમારને ઓળખ્યા વગર તેમની નિંદા કરી; મને ધિક્કાર છે. સારું થયું કે તમે મને સાચી વાત સમજાવી. હવે હું પણ તે અતીન્દ્રિયસુખને સાધવા વૈરાગી વરાંગની સાથે તેમના માર્ગે જઈશ. એમ કહીને તે પણ વૈરાગ્યપૂર્વક વરાંગકુમારની સાથે ચાલ્યો. આમ વરાંગકુમારના નિમિત્તે અનેક મૂર્ખ જીવો પણ ચૈતન્યસુખની શ્રદ્ધા કરીને વિષયોથી વિરક્ત થયા.
ધીરે ધીરે વરાંગરાજ વનમાં પહોંચ્યા. તેમના રાગ-દ્વષના બંધન તૂટી ગયા હતા. બરાબર એ જ સમયે નજીકના જ મણિકાન્ત-પર્વત પર વરદત્ત કેવળી ભગવંત બિરાજતા હતા.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com