Book Title: Jain Vartao 05
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 42
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮ : જૈનધર્મની વાર્તાઓ તેમ જ શ્રીકૃષ્ણ બન્ને જીવો તીર્થકર થશે એમ ઉત્તરપુરાણમાં કહ્યું છે.) પ્રભુની આ વાત સાંભળીને દીપાયન તો તરત દીક્ષા ધારણ કરીને દ્વારકાથી દૂર-સુદૂર વિહાર કરી ગયો. એના મનમાં એમ હતું કે આમ કરવાથી, મારા નિમિત્તે થનાર દ્વારિકાનો નાશ અટકી જશે ! પણ અરેરે ! ભગવાનના જ્ઞાનમાં જે ભાસ્યું તેને કોણ ફેરવી શકે? વળી જરકુમાર પણ પોતાના હાથે હરિનું મૃત્યુ થવાનું સાંભળીને અતિ દુઃખી થયો ને કુટુંબ તજી દૂરદૂર એવા વનમાં ચાલ્યો ગયો કે જ્યાં હરિનું દર્શન પણ ન થાય. શ્રીકૃષ્ણના સ્નેહુને લીધે તે જરકુમાર ખૂબ વ્યાકુળ થઈ ગયો; શ્રીકૃષ્ણ-હરિ તેને પ્રાણ જેવા વહાલા હતા, તેથી તે દૂરદૂર વનમાં રહીને વનચરની જેમ રહેવા લાગ્યો. જેથી પોતાના હાથે હરિનું મોત ન થાય! અરે, પણ પ્રભુની વાણીને કોણ મિથ્યા કરી શકે? બીજા બધા બળભદ્ર-શ્રીકૃષ્ણ વગેરે યાદવો, દ્વારકાનું હોનહાર સાંભળીને ચિંતાથી દુઃખિત-હૃદયે દ્વારકા આવ્યા. દ્વારકા તો જૈનધર્મીઓની Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93