Book Title: Jain Vartao 05
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 17
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : ૧૩ તે વખતે રાણીઓ જ્યારે અશરણ થઈને રોવા લાગી ત્યારે વૈરાગી વરાંગે તેમને કહ્યું: હે દેવીઓ! તમે જો દુઃખથી છૂટવા ને સુખી થવા ચાહતી હો તો તમે પણ મારી સાથે વૈરાગ્ય-પંથે આવો. તમે મારી સાથે દીક્ષા લેશો એ કાંઈ અભૂતપૂર્વ ઘટના નહીં હોય! કેમ કે પૂર્વે અનેક રાજા-મહારાજાઓ પાસેથી તેમની રાણીઓએ જિનધર્મના સંસ્કાર તથા તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરીને તેમની સાથે જ દીક્ષા લીધી હતી. માટે તમે પણ હિતને માટે આ ઉત્તમ માર્ગને અંગીકાર કરો. તે સાંભળી રાણીઓએ પણ વિચાર્યુંઃ અરે, જે પ્રાણનાથ સાથે વર્ષો સુધી ઉત્તમ ભોગો ભોગવ્યા, તે પ્રાણનાથ આ બધા ભોગોપભોગ છોડીને આત્મધ્યાન કરતા વનજંગલમાં વિચરશે, ત્યારે અમે શું આ રાજ–ભોગોમાં પડી રહેશું ને શણગાર સજીશું? નહીં... નહીં, એ અમને ન શોભે. અમે પણ રાજભોગને છોડીને તેમના માર્ગે જ જઈશું ને આત્મકલ્યાણ કરશું! એમ વિચારી તે રાણીઓ પણ દીક્ષા લેવા માટે તૈયાર થઈ. આવો સુઅવસર મળવા Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93