________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : ૧૫ સેવનમાં સદા તત્પર રહેજો. મહા મોંઘો જૈનધર્મ મળ્યો છે, તો આત્મસાધના વડે જીવન શોભાવજો.
આ રીતે વરાંગરાજ જ્યારે પુત્રને ધર્મની શિખામણ આપતા હતા ત્યારે વૈરાગ્યનું અનુપમ સુખ તેમની મુદ્રાને તેજસ્વી બનાવી રહ્યું હતું. બાર વૈરાગ્ય ભાવનાઓનું ચિંતન કરતાં-કરતાં તેઓએ વન તરફ પ્રસ્થાન કર્યું.
એ રીતે વરાંગકુમાર વૈરાગ્યથી જ્યારે વન તરફ ચાલ્યા ત્યારે તેને દેખનારા કેટલાક જીવોએ તો તેની માત્ર પ્રશંસા કરી. બીજા જીવો, -કે જેમનો આત્મા મર્યો નહતો, જેમનું આત્મબળ દીન થયું ન હતું-જેઓ આત્મહિમાં જાગૃત હતા, ને મોક્ષને માટે ઉત્સુક હતા–તેઓ તો વરાંગ સાથે જ ચાલી નીકળ્યા... “આ યુવાન રાજકુમાર આત્મહિત સાધવા વનમાં જશે ને અમે શું અહીં હાથ જોડીને વિષયકષાયમાં પડયા રહેશું? –નહીં. આ તો સંસારથી છૂટવાનો સોનેરી અવસર છે”એમ વિચારીને તેઓ પણ તેની સાથે જ વૈરાગ્યથી વનમાં સીધાવ્યા. તેમની રાણીઓએ પણ પોતાનું જીવન ધર્મસાધનામાં જોયું ને પતિની પાછળ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com