________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮ : જૈનધર્મની વાર્તાઓ કહો કે મને રાજ્યભોગમાં આસક્તિ હવે કેમ થાય !
બેટા, આવી ભરયુવાનીમાં વિષયભોગોને છોડવા ને વનમાં રહેવું તે બહુ કઠણ વાત છે; વૃદ્ધ થયા છતાં અમે હજી પણ વિષયોની આસક્તિ છોડી શકતા નથી, ને ચારિત્રદશા લઈ શકતા નથી, તો તું આવી યુવાનવયમાં વિષયોને કેમ જીતી શકશે?
પિતાજી, વિષયોને છોડવા એ વાત કયરોને માટે કઠણ છે, શૂરવીરોને માટે નહિ. શૂરવીર-મુમુક્ષુ તો ચૈતન્યના એક રણકાર માત્રથી સર્વે સંસાર-વિષયોને છોડી દે છે ને મોક્ષની સાધનામાં લાગી જાય છે.
વરાંગ રાજાની આવી સરસ વૈરાગ્યભીની, યુક્તિપૂર્ણ વાત સાંભળીને મહારાજા તેમ જ શ્રોતાઓ નિરૂત્તર થઈ ગયા ને તેમનું ચિત્ત પણ વૈરાગ્યમાં તત્પર બન્યું.
તેના પિતાએ કહ્યું: હે વત્સ! તારી વાત સત્ય છે; તારા ભાવો ખરેખર દઢ અને અત્યંત વિશુદ્ધ છે. કોઈને ધર્મના કાર્યમાં બાધા કરવી તે તો ભવ-ભવાંતર બગાડનાર છે. મેં પુત્ર-સ્નેહવશ જે વચનો કહ્યાં ને તમે ધ્યાનમાં લેશો નહિ ને મુનિ થઈને આનંદપૂર્વક મોક્ષના પંથમાં વિચરજો!
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com