SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : ૧૩ તે વખતે રાણીઓ જ્યારે અશરણ થઈને રોવા લાગી ત્યારે વૈરાગી વરાંગે તેમને કહ્યું: હે દેવીઓ! તમે જો દુઃખથી છૂટવા ને સુખી થવા ચાહતી હો તો તમે પણ મારી સાથે વૈરાગ્ય-પંથે આવો. તમે મારી સાથે દીક્ષા લેશો એ કાંઈ અભૂતપૂર્વ ઘટના નહીં હોય! કેમ કે પૂર્વે અનેક રાજા-મહારાજાઓ પાસેથી તેમની રાણીઓએ જિનધર્મના સંસ્કાર તથા તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરીને તેમની સાથે જ દીક્ષા લીધી હતી. માટે તમે પણ હિતને માટે આ ઉત્તમ માર્ગને અંગીકાર કરો. તે સાંભળી રાણીઓએ પણ વિચાર્યુંઃ અરે, જે પ્રાણનાથ સાથે વર્ષો સુધી ઉત્તમ ભોગો ભોગવ્યા, તે પ્રાણનાથ આ બધા ભોગોપભોગ છોડીને આત્મધ્યાન કરતા વનજંગલમાં વિચરશે, ત્યારે અમે શું આ રાજ–ભોગોમાં પડી રહેશું ને શણગાર સજીશું? નહીં... નહીં, એ અમને ન શોભે. અમે પણ રાજભોગને છોડીને તેમના માર્ગે જ જઈશું ને આત્મકલ્યાણ કરશું! એમ વિચારી તે રાણીઓ પણ દીક્ષા લેવા માટે તૈયાર થઈ. આવો સુઅવસર મળવા Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008253
Book TitleJain Vartao 05
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1983
Total Pages93
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size934 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy