________________
બીજા વ્રતનું સ્વરૂ૫.
૧૨૯ દ્રવ્ય આપણને થાપણુરૂપે મળેલ હોય અને આપણે એની પ્રાપ્તિને ઈન્કાર કરીએ તો તે પણ એક પ્રકારનું અસત્ય છે. ન્યાયમંદિરમાં કે ન્યાયમંદિરની બહાર બેટી સાક્ષી આપવી એ પણ મૃષાવાદ છે. આ ઉપરાંત કઈ ખરી વસ્તુને ઈન્કાર કરે, અવિદ્યમાન વસ્તુનું અસ્તિત્વ ઠરાવવું, કઈ મનુષ્ય અંધ ન હોય છતાં તેને બંધ કહે કે કઈને ચોરી કરવાનું કહેવું એ બધા મૃષાવાદના પ્રકારે છે.
અસત્ય બોલવામાં ક્રોધ, લોભ આદિ ચિત્તદશા ઘણી વાર કારણભૂત હોય છે. ચિત્તની એવી સ્થિતિમાં ઈરાદાપૂર્વક જૂઠું બોલાય છે. કાપચ્યભાવ, મોહ, તિરસ્કાર, ઉપહાસવૃત્તિ, ભય અને પાતંત્ર્ય ( ગુલામી) દશાને પરિણામે પણ અસત્ય બેલાય છે. ખેટે વિવેક એ પણ એક પ્રકારનું અસત્ય છે. દુખી સ્થિતિમાં બીજાઓને પેટે દેષ કાઢો એ પણ મૃષાવાદને એક પ્રકાર જ છે. આ પ્રમાણે ક્રોધ અને લેભથી માંડીને દુઃખી સ્થિતિ આદિનાં પરિણામે જે કંઈ અસત્ય બોલાય છે તે અસત્ય છે–મૃષાવાદ છે; પણ તે સ્થૂલ મૃષાવાદ નથી. મૃષાવાદને સર્વથા પરિત્યાગ સંસારીથી શક્ય નથી, સ્થૂલ મૃષાવાદને જ પરિત્યાગ તે કરી શકે.
સ્થૂલ મૃષાવાદવિરમણ વ્રતધારીની પ્રતિજ્ઞા એ હોય કે –